મોદી સરકાર સામે લવાયેલો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો, અધીર રંજન ચૌધરી લોકસભામાંથી સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-08-10 21:36:34

મોદી સરકાર સામે વિપક્ષી ગઠબંધન 'INDIA' દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાન આજે ગુરૂવારે (10 ઓગસ્ટ)ના રોજ પડી ગયો છે. પીએમ મોદીના જવાબ બાદ સંસદમાં ધ્વનીમતથી આ પ્રસ્તાવ પડી ગયો છે. આવું એટલા માટે થયું કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન વિરોધ પક્ષોએ વોકઆઉટ કર્યું હતું. લોકસભામાં પીએમ મોદીના જવાબ બાદ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું હતું, જેમાં સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પડી ગયો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ પર ધ્વનિમતથી વોટિંગથી થયું હતું. ત્યારબાદ સંસદને 11 વાગ્યા સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે આ ઘટનાક્રમમાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ અધિર રંજનના ગેરવર્તન બાદ આ નિર્ણય લીધો હતો.    


વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ


કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદી વિશે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધીર સામેનો મામલો વિશેષાધિકાર સમિતિને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભામાં આ સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે ધ્વનિ મતથી મંજૂર કર્યો હતો. આ પહેલા કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના સભ્યોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યો હતો. ઠરાવ મુજબ, કોંગ્રેસ નેતા ચૌધરી વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ રહેશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.