નિતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડશે, 28 જાન્યુઆરીએ લેશે શપથ, સુશીલ મોદી બનશે ડેપ્યુટી CM


  • Published By :
  • Published Date : 2024-01-26 14:55:55

બિહારમાં રાજકારણ ગરમાયું છે, આરજેડી સાથે ખેંચતાણ વચ્ચે નિતિશ કુમારે ફરી એક વાર રાજ્યમાં નવી સરકારની કવાયત શરૂ કરી છે. જેડીયૂએ પોતાના તમામ ધારાસભ્યોને તાત્કાલિક પટણા છોડવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં એનડીએના સહયોગી પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે. મળતી જાણકારી મુજબ નિતિશ કુમાર 9મી વખત બિહારના મુખ્યમંત્રી બની શકે છે, જ્યારે સુશીલ મોદી રાજ્યના ડેપ્યુટી સીએમ બનશે તેવી પુરી શક્યતા છે. ઉલ્લેખનિય છે કે હાલ સુશીલ મોદી રાજ્યસભા સાંસદ છે અને તે 15 જુલાઈ 2017 થી 15 નવેમ્બર 2020 સુધી બિહાર સુધી ડેપ્યુટી સીએમ રહી ચુક્યા છે. આજે સાંજે ચાર કલાકે નિતિશ કુમાર રાજ્યપાલ સાથે મુલાકાત કરી શકે છે. ભાજપ અને જેડીયુના સુત્રોના જણાવ્યા પ્રમાણે તારીખ 28મીએ બિહારમાં નવી સરકાર બની શકે છે. 


ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડશે


નિતિશ કુમાર કોંગ્રેસ અને આરજેડીથી નારાજ છે, તેઓ ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડી ફરી એનડીએમાં જોડાશે.જેડીયુએ કર્પૂરી ઠાકુરની 100 મી જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નિતિશ કુમારે પરિવારવાદ પર નિશાન સાધતા જ બિહાર રાજનિતીમાં પલટો આવ્યો હતો. નિતિશ કુમારનો ઈશારો લાલૂ યાદવના પુત્ર તેજસ્વી યાદવ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાધી પર હતો. આ રાજકીય ઉથલપાથલમાં લાલૂની પુત્રીએ રોહિણીએ નિતિશને નિશાન બનાવીને વિવાદાસ્પદ ટ્વીટ કરતા નિતિશ કુમારે લાલુ યાદવની પાર્ટી સાતે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.