ત્રણ મંત્રાલયોની માગ કરી નીતિશ કુમારે? જો આ માગો સ્વીકારાશે તો જ નીતિશ કુમાર આપશે ટેકો? જાણો શું મળી સૂત્રો પાસેથી માહિતી?


  • Published By :
  • Published Date : 2024-06-06 18:01:47

લોકસભા ચૂંટણીનું જ્યારથી પરિણામ આવ્યું ત્યારથી તમામના મનમાં સવાલ છે કે સરકાર કોની બનશે? એક તરફ NDAએ છે તો બીજી તરફ I.N.D.I.A છે. ભાજપને 272ને મત નથી મળ્યા, 272નો જાદુઈ આંકડો પાર નથી કરી શકે કે જેનાથી તે એકલા હાથે સરકાર બનાવી શકે.. ભાજપને જો સત્તા પર આવું છે તો એનડીએમાં સામેલ પાર્ટીનો સહારો લેવો પડશે. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ અનેક લોકોના મોંઢે સાંભળ્યું હશે કે એન ફેક્ટર પર આ સરકારનું ભવિષ્ય રહેલું છે. એવી માહિતી પણ સામે આવી છે કે અગ્નિવીર યોજનામાં બદલાવ કરવાની માગ પણ નીતિશ કુમાર દ્વારા કરવામાં આવી હોઈ શકે છે. 



નીતિશ કુમારે ત્રણ મંત્રાલયોની કરી માગ 

નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ ગઈકાલે એનડીએની બેઠક માટે દિલ્હી આવ્યા હતા. ત્યારે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, મળતી માહિતી અનુસાર નીતિશ કુમારે ત્રણ મંત્રાલયની માગ કરી છે.. એવી પણ માહિતી સૂત્રો પાસેથી સામે આવી છે કે નીતિશ કુમારે એવી માગ પણ રાખી છે કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે.. તે ઉપરાંત તેમના ચાર સાંસદો માટે એક મંત્રાલયની ફોર્મ્યુલા બનાવવામાં આવે તેવી સરકારની સામે રાખી છે. વાસ્તવમાં, 12 સાંસદ JDUના છે, તેથી તેને 3 મંત્રાલય જોઈએ છે.  



જ્યારે અનેક પાર્ટી ભેગી થઈ સરકાર બનાવે છે ત્યારે...

સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ નીતીશ કુમારને રેલવે, કૃષિ અને નાણા મંત્રાલય જોઈએ છે. જ્યારે રેલ્વે મંત્રાલય પ્રાથમિકતા પર છે. મહત્વનું છે કે આ વખતે મંત્રી મંડળમાં અનેક નવા ચહેરાઓને તક મળી શકે છે.. મહત્વનું છે કે એવું માનવામાં આવે છે કે જ્યારે ગઠબંધનમાં સરકાર હોય છે ત્યારે સાથી પક્ષોના સાંસદને સાચવવા પડે છે.. જે સ્વતંત્ર પણે પાર્ટીને ફેંસલો લેવો હોય તે લઈ નથી શકતા.. સાથી પક્ષોને પૂછ્યા વગર આગળ કોઈ પણ કાયદો, કાયદામાં ફેરફાર નથી કરી શકતા. ત્યારે જોવું રહ્યું કે નીતિશ કુમારે ભાજપ સામે કઈ શરતો મૂકી છે? એવી માહિતી પણ સામે આવી રહી છે કે 9 જૂને શપથ વિધી સમારોહ યોજાઈ શકે છે..     



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.