ત્રણ મંત્રાલયોની માગ કરી નીતિશ કુમારે? જો આ માગો સ્વીકારાશે તો જ નીતિશ કુમાર આપશે ટેકો? જાણો શું મળી સૂત્રો પાસેથી માહિતી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-06 18:01:47

લોકસભા ચૂંટણીનું જ્યારથી પરિણામ આવ્યું ત્યારથી તમામના મનમાં સવાલ છે કે સરકાર કોની બનશે? એક તરફ NDAએ છે તો બીજી તરફ I.N.D.I.A છે. ભાજપને 272ને મત નથી મળ્યા, 272નો જાદુઈ આંકડો પાર નથી કરી શકે કે જેનાથી તે એકલા હાથે સરકાર બનાવી શકે.. ભાજપને જો સત્તા પર આવું છે તો એનડીએમાં સામેલ પાર્ટીનો સહારો લેવો પડશે. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ અનેક લોકોના મોંઢે સાંભળ્યું હશે કે એન ફેક્ટર પર આ સરકારનું ભવિષ્ય રહેલું છે. એવી માહિતી પણ સામે આવી છે કે અગ્નિવીર યોજનામાં બદલાવ કરવાની માગ પણ નીતિશ કુમાર દ્વારા કરવામાં આવી હોઈ શકે છે. 



નીતિશ કુમારે ત્રણ મંત્રાલયોની કરી માગ 

નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ ગઈકાલે એનડીએની બેઠક માટે દિલ્હી આવ્યા હતા. ત્યારે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, મળતી માહિતી અનુસાર નીતિશ કુમારે ત્રણ મંત્રાલયની માગ કરી છે.. એવી પણ માહિતી સૂત્રો પાસેથી સામે આવી છે કે નીતિશ કુમારે એવી માગ પણ રાખી છે કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે.. તે ઉપરાંત તેમના ચાર સાંસદો માટે એક મંત્રાલયની ફોર્મ્યુલા બનાવવામાં આવે તેવી સરકારની સામે રાખી છે. વાસ્તવમાં, 12 સાંસદ JDUના છે, તેથી તેને 3 મંત્રાલય જોઈએ છે.  



જ્યારે અનેક પાર્ટી ભેગી થઈ સરકાર બનાવે છે ત્યારે...

સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ નીતીશ કુમારને રેલવે, કૃષિ અને નાણા મંત્રાલય જોઈએ છે. જ્યારે રેલ્વે મંત્રાલય પ્રાથમિકતા પર છે. મહત્વનું છે કે આ વખતે મંત્રી મંડળમાં અનેક નવા ચહેરાઓને તક મળી શકે છે.. મહત્વનું છે કે એવું માનવામાં આવે છે કે જ્યારે ગઠબંધનમાં સરકાર હોય છે ત્યારે સાથી પક્ષોના સાંસદને સાચવવા પડે છે.. જે સ્વતંત્ર પણે પાર્ટીને ફેંસલો લેવો હોય તે લઈ નથી શકતા.. સાથી પક્ષોને પૂછ્યા વગર આગળ કોઈ પણ કાયદો, કાયદામાં ફેરફાર નથી કરી શકતા. ત્યારે જોવું રહ્યું કે નીતિશ કુમારે ભાજપ સામે કઈ શરતો મૂકી છે? એવી માહિતી પણ સામે આવી રહી છે કે 9 જૂને શપથ વિધી સમારોહ યોજાઈ શકે છે..     



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.