ત્રણ મંત્રાલયોની માગ કરી નીતિશ કુમારે? જો આ માગો સ્વીકારાશે તો જ નીતિશ કુમાર આપશે ટેકો? જાણો શું મળી સૂત્રો પાસેથી માહિતી?


  • Published By :
  • Published Date : 2024-06-06 18:01:47

લોકસભા ચૂંટણીનું જ્યારથી પરિણામ આવ્યું ત્યારથી તમામના મનમાં સવાલ છે કે સરકાર કોની બનશે? એક તરફ NDAએ છે તો બીજી તરફ I.N.D.I.A છે. ભાજપને 272ને મત નથી મળ્યા, 272નો જાદુઈ આંકડો પાર નથી કરી શકે કે જેનાથી તે એકલા હાથે સરકાર બનાવી શકે.. ભાજપને જો સત્તા પર આવું છે તો એનડીએમાં સામેલ પાર્ટીનો સહારો લેવો પડશે. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ અનેક લોકોના મોંઢે સાંભળ્યું હશે કે એન ફેક્ટર પર આ સરકારનું ભવિષ્ય રહેલું છે. એવી માહિતી પણ સામે આવી છે કે અગ્નિવીર યોજનામાં બદલાવ કરવાની માગ પણ નીતિશ કુમાર દ્વારા કરવામાં આવી હોઈ શકે છે. 



નીતિશ કુમારે ત્રણ મંત્રાલયોની કરી માગ 

નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ ગઈકાલે એનડીએની બેઠક માટે દિલ્હી આવ્યા હતા. ત્યારે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, મળતી માહિતી અનુસાર નીતિશ કુમારે ત્રણ મંત્રાલયની માગ કરી છે.. એવી પણ માહિતી સૂત્રો પાસેથી સામે આવી છે કે નીતિશ કુમારે એવી માગ પણ રાખી છે કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે.. તે ઉપરાંત તેમના ચાર સાંસદો માટે એક મંત્રાલયની ફોર્મ્યુલા બનાવવામાં આવે તેવી સરકારની સામે રાખી છે. વાસ્તવમાં, 12 સાંસદ JDUના છે, તેથી તેને 3 મંત્રાલય જોઈએ છે.  



જ્યારે અનેક પાર્ટી ભેગી થઈ સરકાર બનાવે છે ત્યારે...

સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ નીતીશ કુમારને રેલવે, કૃષિ અને નાણા મંત્રાલય જોઈએ છે. જ્યારે રેલ્વે મંત્રાલય પ્રાથમિકતા પર છે. મહત્વનું છે કે આ વખતે મંત્રી મંડળમાં અનેક નવા ચહેરાઓને તક મળી શકે છે.. મહત્વનું છે કે એવું માનવામાં આવે છે કે જ્યારે ગઠબંધનમાં સરકાર હોય છે ત્યારે સાથી પક્ષોના સાંસદને સાચવવા પડે છે.. જે સ્વતંત્ર પણે પાર્ટીને ફેંસલો લેવો હોય તે લઈ નથી શકતા.. સાથી પક્ષોને પૂછ્યા વગર આગળ કોઈ પણ કાયદો, કાયદામાં ફેરફાર નથી કરી શકતા. ત્યારે જોવું રહ્યું કે નીતિશ કુમારે ભાજપ સામે કઈ શરતો મૂકી છે? એવી માહિતી પણ સામે આવી રહી છે કે 9 જૂને શપથ વિધી સમારોહ યોજાઈ શકે છે..     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે