નીતિશ કુમારે કેન્દ્રના વટહુકમનો કર્યો વિરોધ, CM કેજરીવાલના સમર્થનમાં કહીં આ વાત


  • Published By :
  • Published Date : 2023-05-21 18:23:21

દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી સત્તાની ખેંચતાણ વચ્ચે આજે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દિલ્હી પહોંચ્યા છે. નીતીશ કુમાર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે આજે દિલ્હી સ્થિત નિવાસસ્થાનમાં બેઠક યોજાઈ હતી. નીતિશ કુમારની સાથે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, જેડીયુ પ્રમુખ લલન સિંહ અને આરજેડી સાંસદ મનોજ ઝા પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક બાદ નિતીશ કુમારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.


નિતીશ-તેજસ્વીએ શું કહ્યું?


નિતીશ કુમારે કહ્યું કે એક ચૂંટાયેલી સરકારને આપવામાં આવેલી સત્તા કઈ રીતે છિનવી શકાય? સુપ્રીમ કોર્ટનો નિર્ણય યોગ્ય હતો તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા જે કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તે વિચિત્ર છે, આ બંધારણની વિરૂધ્ધ છે, અમે અરવિંદ  કેજરીવાલની સાથે ઉભા છિએ. અમે દેશની તમામ પાર્ટીઓને એક સાથે લાવવાના પ્રયાસો કરી રહ્યા છિએ. તે જ પ્રકારે તેજસ્વી યાદવે પણ કેજરીવાલને સમર્થન આપતા કહ્યું કે અમે કેજરીવાલજીના સમર્થનમાં આવ્યા છિએ. દિલ્હીમાં જો ભાજપની સરકાર હોત તો શું ઉપરાજ્ય પાલમાં  આ પ્રકારનું કામ કરવાની હિંમત હોત?

 

વટહુકમના વિરોધમાં એક થાય વિપક્ષ-કેજરીવાલ


બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની તરફેણમાં નકારીને વટહુકમ લાવવાના મુદ્દે તેઓ દિલ્હીની જનતાની સાથે છે.  જો કેન્દ્ર આ વટહુકમને બિલના રૂપમાં લાવે છે, તો તમામ બિન-ભાજપ પક્ષો એકસાથે આવે તો તેને રાજ્યસભામાં હરાવી શકાય છે. જો આમ થશે તો તે સંદેશ જઈ શકે છે કે વર્ષ 2024માં ભાજપ સરકારને બહાર ફેંકી શકાય છે?



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!