નીતિશ કુમારે કેન્દ્રના વટહુકમનો કર્યો વિરોધ, CM કેજરીવાલના સમર્થનમાં કહીં આ વાત


  • Published By :
  • Published Date : 2023-05-21 18:23:21

દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી સત્તાની ખેંચતાણ વચ્ચે આજે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દિલ્હી પહોંચ્યા છે. નીતીશ કુમાર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે આજે દિલ્હી સ્થિત નિવાસસ્થાનમાં બેઠક યોજાઈ હતી. નીતિશ કુમારની સાથે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, જેડીયુ પ્રમુખ લલન સિંહ અને આરજેડી સાંસદ મનોજ ઝા પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક બાદ નિતીશ કુમારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.


નિતીશ-તેજસ્વીએ શું કહ્યું?


નિતીશ કુમારે કહ્યું કે એક ચૂંટાયેલી સરકારને આપવામાં આવેલી સત્તા કઈ રીતે છિનવી શકાય? સુપ્રીમ કોર્ટનો નિર્ણય યોગ્ય હતો તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા જે કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તે વિચિત્ર છે, આ બંધારણની વિરૂધ્ધ છે, અમે અરવિંદ  કેજરીવાલની સાથે ઉભા છિએ. અમે દેશની તમામ પાર્ટીઓને એક સાથે લાવવાના પ્રયાસો કરી રહ્યા છિએ. તે જ પ્રકારે તેજસ્વી યાદવે પણ કેજરીવાલને સમર્થન આપતા કહ્યું કે અમે કેજરીવાલજીના સમર્થનમાં આવ્યા છિએ. દિલ્હીમાં જો ભાજપની સરકાર હોત તો શું ઉપરાજ્ય પાલમાં  આ પ્રકારનું કામ કરવાની હિંમત હોત?

 

વટહુકમના વિરોધમાં એક થાય વિપક્ષ-કેજરીવાલ


બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની તરફેણમાં નકારીને વટહુકમ લાવવાના મુદ્દે તેઓ દિલ્હીની જનતાની સાથે છે.  જો કેન્દ્ર આ વટહુકમને બિલના રૂપમાં લાવે છે, તો તમામ બિન-ભાજપ પક્ષો એકસાથે આવે તો તેને રાજ્યસભામાં હરાવી શકાય છે. જો આમ થશે તો તે સંદેશ જઈ શકે છે કે વર્ષ 2024માં ભાજપ સરકારને બહાર ફેંકી શકાય છે?



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.