2024માં કેન્દ્રમાં સરકાર બનશે તો પછાત રાજ્યોને મળશે વિશેષ દરજ્જો: નીતિશ કુમાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 16:06:53

લોકસભાની ચૂંટણી 2024માં યોજાવાની છે અને તેને લઈને તમામ રાજકિય પક્ષો અત્યારથી જ તેમની રણનીતિ તૈયાર કરવામાં લાગ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે દેશમાં બિન-ભાજપા સરકાર બનશે તો તમામ પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવશે. બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સથી અલગ થયા બાદ નીતિશ કુમારની આ સૌથી મોટી ઘોષણા છે.


 

બિહારમાં ભાજપા સાથે ગઠબંધન તોડ્યા બાદ નીતિશ કુમાર આગામી લોકસભાની ચૂંટણી માટે અન્ય રાજકીય પક્ષોના નેતાઓને મળી રહ્યા છે. એવું મનાય છે કે નીતિશ કુમાર પ્રધાનમંત્રી પદ માટે પોતાની દાવેદારી કરી શકે છે. જો કે આ બાબત તે નકારી ચૂક્યા છે. મંગળવાર  રાત્રે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે તેમણે મુલાકાત કરી હતી. 



નીતિશ કુમાર આ નેતાઓને મળ્યા હતા


ગયા અઠવાડિયે દિલ્હીમાં નીતિશ કુમારે સીપીએમ નેતા સીતારામ યેચુરી, સીપીઆઈ નેતા ડી રાજા સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. આ દરમિયાન દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ હાજર હતા. તેમણે ગુરુગ્રામમાં હરિયાણાના પૂર્વ સીએમ અને INLD નેતા ઓમ પ્રકાશ ચૌટાલા સાથે પણ ચર્ચા કરી હતી.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.