નીતિશ કુમારે TMC સુપ્રીમો મમતા સાથે કરી મુલાકાત, વિપક્ષોને ભાજપ સામે સંગઠીત થવાનું કર્યું આહવાન


  • Published By :
  • Published Date : 2023-04-24 16:33:38

લોકસભા ચૂંટણી 2024 પહેલા વિપક્ષોની એકતાના હેતુથી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બંગાળની મમતા બેનર્જી સાથે મુલાકાત માટે કોલકાત્તા પહોંચ્યા છે. તેમની સાથે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ મમતાને મળ્યા છે. બેઠકમાં ત્રણ નેતાઓ વચ્ચે વિપક્ષી એકતાને મજબુત કરવા અંગે ચર્ચા થઈ હતી. 


નીતિશ કુમારે શું કહ્યું?


બિહારના મુખ્યમંત્રીએ મામતા સાથે બેઠક બાદ કહ્યું  હવે ખબર નથી કે આ ઈતિહાસ બદલી કે શું કરશે? તમામે સતર્ક રહેવાનું છે, એટલા માટે અમે બધા સાથે ચર્ચા કરી રહ્યા છિએ. અમારા વચ્ચે ખુબ જ સારી ચર્ચા થઈ છે. અમે ભવિષ્યમાં અન્ય પાર્ટીઓને સાથે ચર્ચા કરીશું. 


મમતા બેનર્જીએ શું કહ્યું?


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, મે નિતીશજીને વિનંતી કરી છે કે જય પ્રકાશજીનું આંદોલન બિહારમાં થયું હતું તો અમે પણ બિહારમાં ઓલ પાર્ટી મીટિંગ કરીશું. અમે એક સંદેશ આપવા માંગીએ છીએ કે અમે બધાની સાથે છીએ. મે તો પહેલા જ કહીં દીધું હતું કે કે મને કોઈ કોઈ વાંધો નથી. હું ઈચ્છું છું કે ભાજપ શુન્ય થઈ જાય. 


અખિલેશ સાથે પણ મુલાકાત કરશે નીતિશ કુમાર


મમતા સાથે મુલાકાત બાદ નિતીશ કુમાર સીધા જ લખનઉ પહોંચીને સપા નેતા અખિલેશ યાદવ સાથે મુલાકાત કરશે. અગાઉ ગત મહિને જ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કોલકાત્તાના કાલીઘાટમાં મમતા સાથે મુલાકાત કરી હતી.બેઠકમાં બંને નેતાઓએ કોંગ્રેસ સાથે અંતર રાખી અને 2024ની ચૂંટણીમાં ભાજપા સામે ક્ષેત્રીય શક્તિઓની એકતા પર ફોકસ રાખવા અંગે સંમતી બની હતી.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.