નીતિશ કુમારે ઈશારા ઈશારામાં બિહાર માટે રૂપિયા પહેલા દિવસે જ માગી લીધા, સાંભળો NDAની સંસદીય બેઠકમાં શું બોલ્યા નીતિશ કુમાર?


  • Published By :
  • Published Date : 2024-06-07 15:21:06

દેશમાં કોની સરકાર બનશે તેની ચર્ચાઓ ચૂંટણીનું પરિણામ આવ્યું તે બાદથી થઈ રહી છે..આ વખતે એનડીએની સરકાર બનવાની છે.. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર સરકારનો આધાર રહેલો છે. તેમના ટેકાથી સરકાર બનશે તેવું હાલ લાગી રહ્યું છે. એવી માહિતી સામે આવી છે કે નીતિશ કુમાર અને નાયડુ  દ્વારા શરતો રાખવામાં આવી છે. અનેક મંત્રાલયોની માગ કરવામાં આવી છે. નીતિશ કુમાર પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહેતા હોય છે. આજે એનડીએના સંસદીય દળની મીટિંગ મળી હતી જેમાં નીતિશ કુમારે આડકતરી રીતે એવી વાત કહી દીધી કે તેની ચર્ચા થઈ રહી છે...

શું કહ્યું નીતિશ કુમારે સંસદીય દળની બેઠકમાં?  

NDAના સંસદીય દળની મિટિંગમાં બિહારના CM નીતીશ કુમાર બોલી રહ્યા હતા. સંસદીય દળની બેઠકનું આયોજન સંસદમાં કરાયું હતું . બધા જ રાજકીય પક્ષોએ પીએમ મોદીને NDAના સંસદીય દળના નેતા તરીકેની નિમણુંક માટેનો ઠરાવ પસાર કર્યો. આ બેઠકમાં બિહાર મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે , તમે જે કામ ઇચ્છશો અમે પુરા સહયોગથી તેને પૂરું કરીશું . બધા જ સંગઠિત થઈને પુરા દેશને આગળ વધારીશું. મારો આગ્રહ તો એ જ છે કે જલ્દીથી જલ્દી કામ શરુ થઈ જાય. અમે ઇચ્છતા હતા કે , તમારા શપથ ગ્રહણ આજે જ થઇ જતા તો સારું થાત . જે લોકો અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં જવા માંગે છે તેમને કોઈ લાભ નથી.




9 તારીખે પીએમ મોદી લઈ શકે છે શપથ!

બોલવાની શરૂઆતમાં તેમણે કહ્યું કે અમારી પાર્ટી જનતા દળ યુનાઈટેડ ભારતીય જનતા પાર્ટી સંસદીય દળના નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થન આપે છે. પીએમ 10 વર્ષથી મોદી પીએમ છે અને ફરીથી તે પીએમ બનવા જઈ રહ્યા છે. મહત્વનું છે કે સમગ્ર દેશમાં ફરી એક વાર ગઠબંધન યુગનો આરંભ થઈ ચુક્યો છે. આ સાથેજ NDAના મુખ્ય બે સાથી પક્ષો એવા TDP અને ચંદ્રાબાબુ નાયડુએ BJP  સમક્ષ ખુબ મહત્વના મંત્રીપદો માંગ્યા છે . આ સાથે જોવાનું એ પણ છે કે લોકસભાનું સ્પીકર પદ કયા પક્ષને મળશે? મહત્વનું છે કે એવી માહિતી સામે આવી છે કે 9 જૂને પીએમ મોદી પ્રધાનમંત્રી તરીકેના શપથ લઈ શકે છે.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે