નીતીશ કુમારે અને તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત, મલ્લિકાર્જુન ખડગેના ઘરે થયું હતું બેઠકનું આયોજન


  • Published By :
  • Published Date : 2023-04-12 16:03:46

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. લોકો માટે  ભલે ચૂંટણી આવવાને એક વર્ષનો સમય બાકી લાગતો હોય પરંતુ રાજકીય પાર્ટીઓ આ સમયને ઘણો ઓછો માનતી હોય છે. ઘણા સમય પહેલાથી ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી જતી હોય છે. ત્યારે આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ડે.સીએમ તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા નીતિશ કુમાર દિલ્હી પહોંચ્યા હતા. 2024ને ધ્યાનમાં રાખતા આ બેઠક મહત્વની માનવામાં આવે છે.

    


રાહુલ ગાંધી સાથે નીતીશ કુમારે કરી મુલાકાત 

નીતીશ કુમાર હાલ ત્રણ દિવસની દિલ્હીની મુલાકાતે છે. મંગળવારે નીતીશ કુમારે લાલુ યાદવ સાથે બેઠક કરી હતી. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. નીતીશ કુમારની સાથે તેજસ્વી યાદવ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.    


ગઈકાલે રાહુલ ગાંધીએ લીધી હતી વાયનાડની મુલાકાત 

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં આવી રહ્યા છે. મોદી સરનેમને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. સુરતની કોર્ટે તેમની દોષિત જાહેર કર્યા હતા. જે બાદ રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થઈ હતી અને સરકારી બંગલો ખાલી કરવા આદેશ કર્યો હતો. ત્યારે ગઈકાલે સાંસદ પદ રદ્દ થયા બાદ રાહુલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડ પહોંચ્યા હતા. ત્યાં તેમણે જનસંબોધન પણ કર્યું હતું. ઉપરાંત રેલીનું આયોજન પણ કર્યું હતું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.