BJPના કાર્યકર્તાઓને Nitin Patelએ આપ્યો ઠપકો, ગ્રાઉન્ડ પર કામ કરવા જવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી


  • Published By :
  • Published Date : 2023-11-29 14:56:28

ભાજપ જે હમેશાથી પોતાના કાર્યકર્તાઑ અને તેમની મેહનત માટે વખણાય છે પણ આજકાલ કાર્યકરતો સરખું કામ નથી કરતાં લગતા કારણકે અવાર નવાર જૂના નેતાઓ અને પ્રદેશ અધ્યક્ષ C.R Patil પણ કાર્યકર્તાઓને ઠપકો આપતા દેખાય છે. ફરી એક વાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકર્તાઓને મીઠો ઠપકો આપ્યો છે.

  

નીતિન પટેલ : ગુજરાતીઓ મોટા પ્રમાણમાં IAS/IPS ક્લિયર કરી નથી શકતા - BBC News  ગુજરાતી



સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત હતા નીતિન પટેલ

કડીમાં  પૂર્વ નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શહેર તેમજ તાલુકાનાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નીતિન પટેલે હોદ્દેદારોને મીઠો ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, માત્ર સોશિયલ મીડિયામાં ફોટા મૂકી દેવાથી જવાબદારી પૂર્ણ થતી નથી. હોદ્દેદાર બન્યા પછી લોકોની સેવા ન કરીએ તો તે સારૂ ન કહેવાય. કાર્યકરની બધી જવાબદારી સોશિયલ મીડિયામાં આવતા ફોટામાં સમાઈ જાયએ યોગ્ય નથી. 


 

જો કાર્યકર્તાઓ કામ નહીં કરે તો... 

મહત્વનું છે કે આની પહેલા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે પણ કાર્યકરતોને લાલ આંખ કરીને કહી દીધું હતું કે જો સરખું કામ નહીં કરો તો હોદ્દેદાર નહીં બનાવીએ. કોઈ પદ નહીં આપીએ. હવે ભાજપના ડખા પછી કાર્યકરોના કામકાજ પર ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે. આ ઠપકા કાર્યકર્તાઓ કેટલા માને છે એ જોવાનું રહ્યું!



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.