ગુજરાત ભાજપના બે નેતાઓને મળી મોટી જવાબદારી, નીતિન પટેલની રાજસ્થાનના અને મનસુખ માંડવિયાની છત્તીસગઢના સહચૂંટણી પ્રભારી તરીકે નિમણૂક


  • Published By :
  • Published Date : 2023-07-07 18:28:58

દેશમાં આગામી 2024ની લોકસભાની ચૂંટણી તથા વિવિધ રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને પગલે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આના પગલે ચૂંટણી રાજ્યોમાં દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપી પ્રદેશ ચૂંટણી પ્રભારી અને સહપ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે. ખાસ કરીને, ગુજરાત ભાજપના સીનિયર નેતા અને પૂર્વ  ડેપ્યૂટી સીએમ નીતિન પટેલને રાજસ્થાનના સહ-ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.


આ નેતાઓને મળી મોટી જવાબદારી


ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને જોતાં પ્રભારી અને સહપ્રભારીને નિમણૂક કરવામાં આવી છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણા માટે પ્રદેશ ચૂંટણી પ્રભારી અને સહ-ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરાઇ છે. ભાજપ દ્વારા રાજસ્થાનના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે પ્રહલાદ જોશીની રાજસ્થાનના સહ ચૂંટણી પ્રભારી તરીકે નીતિન પટેલ, કુલદીપ બિશ્નોઇની નિમણૂક કરવામાં આવી છે. છત્તીસગઢના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે ઓમ પ્રકાશ માથુર, જ્યારે સહ ચૂંટણી પ્રભારી તરીકે મનસુખ માંડવિયાની નિમણૂક કરવામાં આવી છે. મધ્યપ્રદેશના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવ અને સહ ચૂંટણી પ્રભારી તરીકે અશ્વિની વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી છે. તેલંગાણાના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે પ્રકાશ જાવડેકર અને સહ ચૂંટણી પ્રભારી તરીકે સુનીલ બંસલની નિમણૂક કરવામાં આવી છે.


તાજેતરમાં જ ભાજપે 4 રાજ્યોમાં બદલ્યા હતા પ્રદેશ પ્રમુખ


અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા હતા. તેમાં ભાજપે ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા હતા. જે રાજ્યોને નવા અધ્યક્ષ મળ્યા તેમાં પંજાબ, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આંધ્ર પ્રદેશમાં પી પુરંદેશ્વરી, ઝારખંડમાં બાબૂલાલ મરાંડી, પંજાબમાં સુનીલ જાખડ અને તેલંગાણામાં જી કિશન રેડ્ડીને જવાબદારી સોંપવામાં આવી છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.