ગુજરાત ભાજપના બે નેતાઓને મળી મોટી જવાબદારી, નીતિન પટેલની રાજસ્થાનના અને મનસુખ માંડવિયાની છત્તીસગઢના સહચૂંટણી પ્રભારી તરીકે નિમણૂક


  • Published By :
  • Published Date : 2023-07-07 18:28:58

દેશમાં આગામી 2024ની લોકસભાની ચૂંટણી તથા વિવિધ રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને પગલે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આના પગલે ચૂંટણી રાજ્યોમાં દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપી પ્રદેશ ચૂંટણી પ્રભારી અને સહપ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે. ખાસ કરીને, ગુજરાત ભાજપના સીનિયર નેતા અને પૂર્વ  ડેપ્યૂટી સીએમ નીતિન પટેલને રાજસ્થાનના સહ-ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.


આ નેતાઓને મળી મોટી જવાબદારી


ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને જોતાં પ્રભારી અને સહપ્રભારીને નિમણૂક કરવામાં આવી છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણા માટે પ્રદેશ ચૂંટણી પ્રભારી અને સહ-ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરાઇ છે. ભાજપ દ્વારા રાજસ્થાનના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે પ્રહલાદ જોશીની રાજસ્થાનના સહ ચૂંટણી પ્રભારી તરીકે નીતિન પટેલ, કુલદીપ બિશ્નોઇની નિમણૂક કરવામાં આવી છે. છત્તીસગઢના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે ઓમ પ્રકાશ માથુર, જ્યારે સહ ચૂંટણી પ્રભારી તરીકે મનસુખ માંડવિયાની નિમણૂક કરવામાં આવી છે. મધ્યપ્રદેશના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવ અને સહ ચૂંટણી પ્રભારી તરીકે અશ્વિની વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી છે. તેલંગાણાના પ્રદેશ ચૂંટણી પ્રભારી તરીકે પ્રકાશ જાવડેકર અને સહ ચૂંટણી પ્રભારી તરીકે સુનીલ બંસલની નિમણૂક કરવામાં આવી છે.


તાજેતરમાં જ ભાજપે 4 રાજ્યોમાં બદલ્યા હતા પ્રદેશ પ્રમુખ


અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા હતા. તેમાં ભાજપે ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા હતા. જે રાજ્યોને નવા અધ્યક્ષ મળ્યા તેમાં પંજાબ, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. આંધ્ર પ્રદેશમાં પી પુરંદેશ્વરી, ઝારખંડમાં બાબૂલાલ મરાંડી, પંજાબમાં સુનીલ જાખડ અને તેલંગાણામાં જી કિશન રેડ્ડીને જવાબદારી સોંપવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.