નિતિન ગડકરીની BJP સંસદીય બોર્ડમાંથી હકાલપટ્ટીની ઈનસાઈડ સ્ટોરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 16:36:39

રાજકારણમાં ક્યારે શું ઉલટફેર થાય તે કહીં શકાય નહીં અને એટલા માટે જ રાજનિતીને સંભાવનાઓનો ખેલ કહેવામાં આવે છે, જેમ કે ભાજપે એક મહત્વનો નિર્ણય કરતા કેન્દ્રીય સંસદીય બોર્ડમાંથી નિતીન ગડકરીને હટાવીને સૌ કોઈને ચોંકાવી દીધા છે, ગડકરીની CEC માંથી હકાલપટ્ટી થઈ ત્યારથી ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.


મોદી-શાહ સાથે અણબનાવ


નિતીન ગડકરીની ગણના મ્હોંફાટ નેતાઓમાં થાય છે, અને તે ઘણી વખત પાર્ટીની લક્ષ્મણ રેખા ઓળંગીને પણ નિવેદનો આપતા રહે છે, તેમના મનમાં જે આવે તે સ્પષ્ટ અને નિર્ભિકપણે કહીં દેવા માટે જાણીતા નિતીન ગડકરી અનેક વખત મોદી સરકારની કાર્ય પ્રણાલીની પણ ટીકા કરી ચુક્યા છે. ગડકરી અને અમિત શાહ વચ્ચે છત્રીસનો આંકડો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહે ઉંમરનું બહાનું કાઢી ગડકરીને કદ પ્રમાણે વેતરી નાંખ્યા. જો કે ભાજપના આ નિર્ણયથી RSS પણ વાકેફ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  


કોણ છે નિતિન ગડકરી?


મહારાષ્ટ્રના નાગપુરમાં  27 મે, 1957ના દિવસે મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં નિતિન ગડકરીનો જન્મ થયો હતો, 2009માં ભાજપ પ્રમુખ બન્યા ત્યારે નિતિન ગડકરી સૌ પ્રથમ નેશનલ મીડિયામાં ચમક્યા હતા. વર્ષ 2014માં તે નાગપુરમાંથી ચુંટણી લડ્યા અને સાંસદ બન્યા હત્યા, કુશળ વહીવટકર્તા મનાતા નિતિન ગડકરી 27 મે, 2014 - 25 મે, 2019 સુધી માર્ગ, પરિવહન,રાજમાર્ગ ને શિપિંગ મિનિસ્ટર રહ્યા હતા. મે, 2019માં 17મી લોકસભા માટે તે ફરીથી નાગપુરમાંથી ચુંટાયા હતા. મોદી 2.0માં બીજી વખત માર્ગ, પરિવહન અને રાજમાર્ગ પ્રધાન બનેલા નિતિન ગડકરીને નરેન્દ્ર મોદી સરકારમાં વિકાસ પુરૂષ કહેવામાં આવે છે, તે જ્યારે 2014માં માર્ગ અને પરિવહન મંત્રી બન્યા ત્યારે દેશમાં હાઈ-વે નિર્ણાણની ગતિ માત્ર બે કિલોમીટર પ્રતિ દિવસની હતી, જે હાલ 30 કિલો મીટર પ્રતિદિનની છે, ગડકરીનું હાઈવે નિર્ણાણનું લક્ષ્યાંક 68 કિલોમીટર પ્રતિદિન દિન સુધી પહોંચાડવાનું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે