Kerelaમાં નિપાહ વાયરસનો હાહાકાર! રાજ્યમાં અત્યાર સુધી આટલા લોકોના મોત, એલર્ટ કરાયું જાહેર


  • Published By :
  • Published Date : 2023-09-13 16:25:07

એક સમયે કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા હતા.  અનેક પરિવારો કોરોનાને કારણે વિખેરાઈ ગયા હતા. કોરોના પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં રાખી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે હવે નિપાહ વાયરસે ચિંતા વધારી છે. કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસને કારણે બે લોકોના મોત થયા છે. નિપાહ વાયરસના વધતા કહેરને ધ્યાનમાં રાખી વધુ ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારો અને હોસ્પિટલોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. 



આ વાયરસ કેવી રીતે ફેલાય છે? 

કેરળમાં બે લોકોના મોત તાવ આવવાને કારણે થયા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંનેના મોત નિપાહ વાયરસને કારણે થયા છે. નિપાહ વાયરસને કારણે આ મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નિપાહ વાયરસ અંગેની વાત કરીએ તો આ વાયરસ માણસથી માણસમાં ફેલાઈ શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ વાયરસ માણસોમાં જાનવરોથી ફેલાય છે. ચામાચિડિયાને કારણે મુખ્યત્વે આ રોગ , આ વાયરસ ફેલાય છે. આ વાયરસને જૂનોક વાયરસ તરીકે પણ ઓખળવવામાં આવે છે.  



અનેક નિયમોને કરાયા જાહેર 

નિપાહ વાયરસના દર્દીની વાત કરીએ તો કેરળમાં અત્યાર સુધી 4 કેસ નોંધાયા છે, જેમાંથી બે લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે બુધવારે એસેમ્બલીમાં જણાવ્યું કે નિપાહ વાયરસની તપાસ કરવા પુણેથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમ કેરળ આવશે અને આ અંગે વધુ તપાસ હાથ ધરાશે. ન્યુઝ એજન્સી પીટીઆઈ અનુસાર નિપાહ વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખી કોઝિકોડના જિલ્લા અધિકારીએ અનેક નિયમો બહાર પાડ્યા છે. જે મુજબ 7 પંચાયતોમાં બેંકો, સરકારી તેમજ શૈક્ષણિક ઓફિસો બંધ રહેશે. તે સિવાય આંગણવાડી કેન્દ્રો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. માત્ર દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સવારના 7 વાગ્યા સુધી સાજંના 5 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.  



વધુ બે દર્દીની આવ્યા વાયરસની ઝપેટમાં!

નિપાહ વાયરસને કારણે જે બે લોકોના મોત થયા છે. પ્રથમ મોત 30 ઓગસ્ટના રોજ થયું હતું જ્યારે બીજું મોત 11 સપ્ટેમ્બરના રોજ થયું હતું. બંને મૃતકોના સેમ્પલને ટેસ્ટ માટે લેબમાં મોકલી દેવામાં આવ્યા છે. એનઆઈવી આ સેમ્પલનું પરિષણ કરશે. જે બીજા બે દર્દી આ વાયરસની ચપેટમાં આવ્યા છે તેમાં 9 વર્ષના બાળકનો તેમજ 24 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!