અમેરિકાના અલબામામાં ચક્રવાતને કારણે નવ લોકોના મોત, ઘરોને થયું છે નુકસાન


  • Published By :
  • Published Date : 2023-01-14 16:14:29

ચક્રવાતને કારણે અમેરિકામાં પરિસ્થિતિ વણસી રહી છે. ચક્રવાતે અલબામા રાજ્યમાં ભારે નુકસાન પહોંચાડયું છે. ચક્રવાતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે. જેનો આંકડો હજી સુધી સામે નથી આવ્યો. રાહતકાર્ય ચાલી રહ્યું છે. ચક્રવાતને કારણે જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ ગયું છે. 

यह तस्वीर अमेरिका में आए तेज रफ्तार टॉरनेडो की है।

यह तस्वीर एक घर की है जिसकी छत उखड़ गई और अंदर रखा सारा सामान खराब हो गया।


અલબામાના ઓટોગા, ડલાસ, એલમોર અને તલ્લાપોસા ક્ષેત્રમાં આ ચક્રવાતને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. આ ચક્રવાતને કારણે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. આ ક્ષેત્રોમાં બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. મૃતકોને શોધવા રેસ્ક્યુની ટીમ ઘરે ઘરે જઈ તપાસ કરી રહ્યા છે.  આ ચક્રવાતને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ચક્રવાતને કારણે અનેક જગ્યાઓ પર અંધારપટ છવાઈ ગયો હતો. લાઈટો જતી રહેવાને કારણે અંધારામાં રહેવા લોકો મજબૂર બન્યા છે. મળતી માહિતી અનુસાર આ ચક્રવાતમાં 50 જેટલા ઘરોને નુકસાન પહોંચ્યું છે.  




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.