શેરબજારમાં સતત ત્રીજા દિવસે પણ હાહાકાર! સેન્સેક્સમાં 571 પોઈન્ટનો કડાકો, NHPC 6% ઘટ્યો


  • Published By :
  • Published Date : 2023-09-21 21:20:12

ભારતીય શેરબજારો ગુરુવારે સતત ત્રીજા સત્રમાં નુકસાન સાથે બંધ થયા હતા. BSEનો સેન્સેક્સ 570.60 પોઈન્ટ એટલે કે 0.85% ના ઘટાડા સાથે 66,230.24 પોઈન્ટ ના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે NSEનો નિફ્ટી 159.05 પોઈન્ટ અથવા 0.8 ટકાના ઘટાડા સાથે 19,742.35 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. આજે NHPCના શેર છ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ICICI બેંકના શેરમાં 3-3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


આ કંપનીના શેરોમાં કડાકો જોવા મળ્યો


સેન્સેક્સ પર ICICI બેંકનો શેર સૌથી વધુ ઘટાડા સાથે બંધ થયો. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, SBI, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ડસઇન્ડ બેંકના શેર બે ટકાથી વધુના નુકસાન સાથે બંધ થયા હતા. આ સિવાય કોટક મહિન્દ્રા બેંક, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, પાવરગ્રીડ, ITC, HCL ટેકમાં એક-એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય JSW સ્ટીલ, NTPC, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, નેસ્લે ઇન્ડિયા, HDFC બેંક, મારુતિ અને વિપ્રોના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.


સેન્સેક્સ 1700 પોઈન્ટ તુટ્યો


લગભગ એક અઠવાડિયા પહેલા, શેરબજારે સતત તેજી બતાવીને તેની 16 વર્ષની ટોચ તોડી હતી. વર્ષ 2007 પછી શેરબજારમાં આટલો લાંબો ઉછાળો જોવા મળ્યો હતો. જે છેલ્લા ત્રણ દિવસમાં 1600થી વધુ પોઈન્ટ્સ તુટી ગયો છે. જેના કારણે શેરબજારના રોકાણકારોને 5.80 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.


સોમવારે સેન્સેક્સ 242 પોઈન્ટ તૂટ્યો હતો. મંગળવારે બજાર બંધ રહ્યું હતું અને બુધવારે સેન્સેક્સમાં 796 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને ગુરુવારે એટલે કે આજે સેન્સેક્સમાં 663 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે આ સપ્તાહે કુલ નુકસાન 1700 પોઈન્ટ પર પહોંચી ગયું છે.


શા માટે શેર બજાર તુટ્યું?  


યુએસ ફેડરલ રિઝર્વે સંકેત આપ્યો છે કે તે લાંબા સમય સુધી ઊંચા વ્યાજદર ચાલુ રાખી શકે છે. જેના કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેક્ટોરલ ઈન્ડાઈસીસીની વાત કરીએ તો બેંક, ઓટો અને ફાર્મા સેક્ટરના શેરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.