શેરબજારમાં સતત ત્રીજા દિવસે પણ હાહાકાર! સેન્સેક્સમાં 571 પોઈન્ટનો કડાકો, NHPC 6% ઘટ્યો


  • Published By :
  • Published Date : 2023-09-21 21:20:12

ભારતીય શેરબજારો ગુરુવારે સતત ત્રીજા સત્રમાં નુકસાન સાથે બંધ થયા હતા. BSEનો સેન્સેક્સ 570.60 પોઈન્ટ એટલે કે 0.85% ના ઘટાડા સાથે 66,230.24 પોઈન્ટ ના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે NSEનો નિફ્ટી 159.05 પોઈન્ટ અથવા 0.8 ટકાના ઘટાડા સાથે 19,742.35 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. આજે NHPCના શેર છ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ICICI બેંકના શેરમાં 3-3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


આ કંપનીના શેરોમાં કડાકો જોવા મળ્યો


સેન્સેક્સ પર ICICI બેંકનો શેર સૌથી વધુ ઘટાડા સાથે બંધ થયો. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, SBI, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ડસઇન્ડ બેંકના શેર બે ટકાથી વધુના નુકસાન સાથે બંધ થયા હતા. આ સિવાય કોટક મહિન્દ્રા બેંક, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, પાવરગ્રીડ, ITC, HCL ટેકમાં એક-એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય JSW સ્ટીલ, NTPC, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, નેસ્લે ઇન્ડિયા, HDFC બેંક, મારુતિ અને વિપ્રોના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.


સેન્સેક્સ 1700 પોઈન્ટ તુટ્યો


લગભગ એક અઠવાડિયા પહેલા, શેરબજારે સતત તેજી બતાવીને તેની 16 વર્ષની ટોચ તોડી હતી. વર્ષ 2007 પછી શેરબજારમાં આટલો લાંબો ઉછાળો જોવા મળ્યો હતો. જે છેલ્લા ત્રણ દિવસમાં 1600થી વધુ પોઈન્ટ્સ તુટી ગયો છે. જેના કારણે શેરબજારના રોકાણકારોને 5.80 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.


સોમવારે સેન્સેક્સ 242 પોઈન્ટ તૂટ્યો હતો. મંગળવારે બજાર બંધ રહ્યું હતું અને બુધવારે સેન્સેક્સમાં 796 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને ગુરુવારે એટલે કે આજે સેન્સેક્સમાં 663 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે આ સપ્તાહે કુલ નુકસાન 1700 પોઈન્ટ પર પહોંચી ગયું છે.


શા માટે શેર બજાર તુટ્યું?  


યુએસ ફેડરલ રિઝર્વે સંકેત આપ્યો છે કે તે લાંબા સમય સુધી ઊંચા વ્યાજદર ચાલુ રાખી શકે છે. જેના કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેક્ટોરલ ઈન્ડાઈસીસીની વાત કરીએ તો બેંક, ઓટો અને ફાર્મા સેક્ટરના શેરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.