ગુજરાત પહોંચી એનઆઈએની ટીમ, દેશમાં 70 જગ્યા પર દરોડા, કુલવિંદર સિદ્ધુના મિત્રને ત્યાં પણ કરાઈ તપાસ


  • Published By :
  • Published Date : 2023-02-21 14:52:31

ગેંગસ્ટર સિન્ડિકેટ મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી કરી છે જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાં દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી હતી. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તપાસ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર એનઆઈએના ગેંગસ્ટર અને ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલા કેસમાં પાડવામાં આવી હતી. ગુજરાતના ગાંધીધામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. કુલવિંદર ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

 


દેશના અનેક રાજ્યોમાં એનઆઈએ દ્વારા કરાઈ કાર્યવાહી  

મંગળવાર સવારથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં તપાસની કામગીરી કરવામાં આવી રહી છે. 72 જગ્યાઓ પર રેડ પાડવામાં આવી હતી. ગૈંગસ્ટર લારેંસ અને તેમના નજીકના લોકોના ઘરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંડીગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં એક સાથે રેડ પાડવામાં આવી હતી. કચ્છના ગાંધીધામના કિડાણામાં કુલવિંદર સિદ્ધુ નામના શખ્સની તપાસ હાથ ધરી છે.    


પાકિસ્તાન સાથે સંબંધ હોવાનું સામે આવતા કરાઈ કાર્યવાહી 

મળતી માહિતી અનુસાર બિશ્નોઈ અને બવાના ગેંગને પાકિસ્તાનથી ફંડિગ મળતું હતું જેનો ઉપયોગ ભારત વિરોધી કામ કરવામાં કરતા હતા. મૂસેવાલા મર્ડર કેસમાં સજા ભોગવી રહેલા લોરેંસઅને નીરજ બવાનાએ હથિયાર સપ્લાય અને ટેરર ફન્ડિંગની વાત કબૂલી છે. અને રેડ દરમિયાન અનેક જગ્યાઓથી હથિયાર મળી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગેંગસ્ટરોની પૂછપરછ દરમિયાન ઘણા વધુ ગેંગસ્ટરના નામ સામે આવ્યા હતા. ગેંગસ્ટરોનાં અન્ય દેશોમાં સપંર્ક હોવાનું પણ સામે આવ્યું હતું. જે બાદ એક જ સમયે એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 


અલગ અલગ જગ્યાઓ પર એનઆઈએની તપાસ 

થોડા સમય પહેલા શનિવારે એનઆઈએ દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના રાજ્ય પદાધિકારીઓનાં ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાજસ્થાનના જયપુર, કોટા, સવાઈ માધોપુર સહિત અનેક સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા. હરિયાણાના નારનૌલમાં એનઆઈએના ગૈંગસ્ટર સુરેંદર ઉર્ફે ચીકુના ઠેકાણાઓ પર રેડ પાડવામાં આવી હતી. મોહનપુર સ્થિત તેમના સંબંધીના ઘરે રેડ પાડવામાં આવી હતી. તે સિવાય ઉત્તરપ્રદેશના પીલીભીત અને પ્રતાપગઢમાં પણ એનઆઈએએ કાર્યવાહી કરી હતી. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તપાસ માટે એનઆઈએની ટીમ પહોંચી હતી.       







21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.