આગામી 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ કર્યું 'ભારત બંધ'નું એલાન, રાકેશ ટિકૈત જણાવ્યો શું છે પ્લાન?


  • Published By :
  • Published Date : 2024-01-25 17:00:27

આગામી 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ ભારત બંધનો નિર્ણય કર્યો છે, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બુધવારે કહ્યું હતું કે ખેડૂતો 16 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં અનેક મુદ્દાઓ પર ભારત બંધ રાખવામાં આવશે. આ મુદ્દાઓમાં ખેડૂતોમાં ટેકાના ભાવ (MSP)ની ગેરંટી આપનારા દાયદાઓનો અમલ ન કરવાનો પણ સમાવેશ થાય છે. ભારતીય કિસાન  યુનિયન  (BKU) ના રાષ્ટ્રિય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતોના જુથો ઉપરાંત, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને પણ આંદોલનોનું સમર્થન કરવા અને તે દિવસે હડતાલમાં ઉતરવાની અપીલ કરીએ છિએ.

 

16 ફેબ્રુઆરીએ ભારત બંધ, રાકેશ ટિકૈતે શું કહ્યું?


રાકેશ ટિકૈતે કહ્યું કે અમે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. ઘણા ખેડૂત જૂથો તેનો ભાગ છે, જેમાં સંયુક્ત કિસાન મોરચા (SKM)નો સમાવેશ થાય છે.  આ પહેલા પણ ખેડૂતો 'અમાવસ્યા'ના દિવસે ખેતરોમાં કામ કરવાનું બંધ કરી દેતા હતા. તેવી જ રીતે 16મી ફેબ્રુઆરી માત્ર ખેડૂતો માટે જ 'અમાવસ્યા' છે. તેઓએ તે દિવસે કામ ન કરવું જોઈએ અને 'કૃષુ હડતાલ'નો આશરો લેવો જોઈએ. તેનાથી દેશને મોટો સંદેશ જશે.


હડતાલ શા માટે?


હડતાલનું આહવાન શા માટે કરવામાં આવ્યું તે અંગે પૂછતા ટિકૈતે જણાવ્યું કે અનેક કારણો છે. તેમણે કહ્યું કે MSPની ગેરંટી પર કાયદો, બેકારી, અગ્નિવીર યોજના, પેન્શન યોજના પણ નિવૃત લોકો માટે મોટો મુદ્દો છે. તેમણે કહ્યું કે આ માત્ર ખેડૂતોનો એકલાનો મુદ્દો નહીં હોય પણ અન્ય સંગઠનો પણ તેમાં જોડાવાના છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.