ન્યુઝિલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડન આપશે રાજીનામું, કાર્યકાળ પૂર્ણ થવાના આટલા મહિના પહેલા કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-19 11:36:05

ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને ગુરૂવારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત જેસિન્ડાએ એવી પણ જાહેરાત કરી દીધી છે કે ઓક્ટોબરમાં થનારી ચૂંટણીમાં તેઓ નથી લડવાના. તેમની જાહેરાતને કારણે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થવાનો છે.

 Jacinda Ardern: न्यूजीलैंड की पीएम जैसिंडा अर्डर्न देंगी इस्तीफा, भावुक भाषण में कहा- यही सही समय है

રાજીનામા અંગે આપી માહિતી  

ગુરૂવારના દિવસે મળેલી પાર્ટીની વાર્ષિક કોક્સ મીટિંગમાં ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ને એવી જાહેરાત કરી જેને કારણે લોકો નવાઈ પામ્યા છે.  જેસિંડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. જાહેરાત કરતા તેમણે કહ્યું કે તેની પાસે કાર્ય કરવાની શક્તિ નથી રહી. હવે રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે હું જઈ રહી છું કારણ કે આવી વિશેષ ભૂમિકા સાથે જવાબદારી આવે છે. આ જવાબદારી નિભાવવા માટે હવે મારી પાસે પૂરતી તાકાત નથી.  



7 ફેબ્રુઆરીએ પૂર્ણ થાય છે કાર્યકાળ 

વડાપ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ 7 ફેબ્રુઆરીએ પૂરો થાય છે. રાજીનામાની ઘોષણા કરતી વખતે જેસિન્ડા ભાવુક થયા હતા. તેમણે કહ્યું તે હું પણ માણસ છું, રાજનેતા પણ માણસ હોય છે. તેમણે કહ્યું કે ઉનાળા દરમિયાન આવતી રજાઓના સમયે તેમણે આ અંગે વિચાર્યું કે આ પદ પર બેસવા માટે તેમની પાસે તાકાત છે કે નહીં. પરિણામ એ આવ્યું કે તેમની પાસે શક્તિ નથી. તમને જણાવી દઈએ કે જેસિંડા દુનિયાની સૌથી નાની ઉંમરે બનનાર પ્રથમ મહિલા પ્રધાનમંત્રી છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે