Ambaji મોહનથાળ મામલામાં આવી મોટી અપડેટ, નીલકંઠ ટ્રેડર્સના માલિકની કરાઈ અટકાયત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-05 14:46:30

છેલ્લા બે ત્રણ દિવસથી શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળનો પ્રસાદ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. ફૂડ વિભાગ દ્વારા મોહનથાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલ ફેઈલ ગયા છે. આ મોહનથાળનો પ્રસાદ લાખો ભક્તોએ આરોગ્ય હશે કારણ કે તાજેતરમાં જ લોકમેળો સંપન્ન થયો છે. આ વાત સામે આવતા જ ત્વરીત એક્શન લેવામાં આવ્યા છે. મોહિની કેટરર્સને મળેલો કોન્ટ્રાક્ટને રિન્યુ નથી કરવામાં આવ્યો ઉપરાંત અક્ષયપાત્રને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેવી માહિતી પણ સામે આવી. આમાં નવી અપડેટ આવી છે કે નીલકંઠ ટ્રેડર્સના માલિક  જતીન શાહની અટકાટત કરી લેવામાં આવી છે. આ એ ટ્રેડર્સ છે જ્યાંથી ઘી ખરીદવામાં આવ્યું હતું, 

અક્ષયપાત્રને આપવામાં આવ્યો મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ

શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભક્તોને આપવામાં આવતા મોહનથાળના પ્રસાદમાં ભેળસેળવાળું  ઘી વાપરવામાં આવ્યું હોવાનો રિપોર્ટ સામે આવ્યા બાદ હોબાળો મચ્યો હતો. જો કે, હવે ભેળસેળ વાળા ઘી મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, અંબાજી મંદિર ખાતે મોહિની કેટરર્સના ઘીનો સેમ્પલ ફેલ થવાના કારણે મોહનથાળનો પ્રસાદ બનાવવાનું મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પ્રસાદ બનાવવાની કામગીરી મોહિની કેટરર્સ ના બદલે અક્ષયપાત્ર દ્વારા પ્રસાદ બનાવવામાં આવશે.

Action taken in case of fake ghee in Ambaji | AMCએ દુકાન-ગોડાઉનને સીલ  કર્યું, અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાં મોડીરાત્રે ચેકિંગ, 15 કિલોના 3 ઘીના  ડબ્બા જપ્ત - Divya Bhaskar

(ફાઈલ ફોટો)

નીલકંઠ ટ્રેડર્સને કરાયું હતું સીલ 

 આ ઉપરાંત સરકારે કોન્ટ્રાક્ટ રદ્દ કરી મોહિની કેટરને બ્લેક લીસ્ટ પણ કરી છે.  અક્ષયપાત્ર સંસ્થા હવે અંબાજી મંદિરનો પ્રસાદ બનાવશે. નવો કોન્ટ્રાક્ટ 1 નવેમ્બરથી લાગુ થશે. મહત્વનું છે કે મોહિની કેટરર્સમાંથી આરોગ્ય વિભાગે લીધેલા ઘીના નમૂના નિષ્ફળ ગયા હતા. અક્ષયપાત્ર સંસ્થા હવે અંબાજી મંદિરનો પ્રસાદ બનાવશે. નવો કોન્ટ્રાક્ટ 1 નવેમ્બરથી લાગુ થશે. ઉલ્લેખનિય છે કે મોહનથાળના નકલી ઘીના ઉપયોગના કેસના ખુલાસામાં અમદાવાદમાં માધપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું હતું.  

Action taken in case of fake ghee in Ambaji | AMCએ દુકાન-ગોડાઉનને સીલ  કર્યું, અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાં મોડીરાત્રે ચેકિંગ, 15 કિલોના 3 ઘીના  ડબ્બા જપ્ત - Divya Bhaskar

Action taken in case of fake ghee in Ambaji | AMCએ દુકાન-ગોડાઉનને સીલ  કર્યું, અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાં મોડીરાત્રે ચેકિંગ, 15 કિલોના 3 ઘીના  ડબ્બા જપ્ત - Divya Bhaskar

જતીન શાહની કરાઈ અટકાયત, પોલીસ કરશે પૂછપરછ

અંબાજી મોહનથાળનો મુદ્દો અમદાવાદ પહોંચ્યો હતો. મોહિની કેટરર્સે પ્રસાદની માંગને પહોંચી વળવા માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સમાં ઘીનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ મોડી રાત્રે ફૂડ એન્ડ આરોગ્ય વિભાગની ટીમ નીલકંઠ ટ્રેડર્સમાં ત્રાટકી અને સીલ માર્યુ હતું. ત્યારે હવે એવી માહિતી સામે આવી છે કે નીલકંઠ ટ્રેડર્સના માલિકની અટકાયત કરી લેવામાં આવી છે. જતીન શાહે 300 ઘીના ડબ્બા મોહિની કેટરર્સને આપ્યા હતા. હાલ પોલીસ જતીન શાહની પૂછપરછ કરી રહી છે. 

Ambaji Mela: Mohanthal prasad preparation for devotees begins today, 3 lakh  packets per day will be prepared



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!