AAP ના ઉમેદવારે પ્રચાર માટે અપનાવી નવી તરકીબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-19 19:58:18


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે દરેક પક્ષ ચુંટણી પ્રચાર માટે મેહનત કરી રહ્યા છે ભાજપે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાએ પ્રચાર માટે વેગ પકડ્યો છે. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે પ્રચાર માટે અલગ જ પ્રકાર અપનાવ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે જાહેર સભામાં જીતે તો કામ કરવાનું એફિડેવિટ રજૂ કર્યું.


મત જીતવા માટે નવી તકનીક !!!

ચોટીલા બેઠકના આપના ઉમેદવાર એ જાહેર સભામાં સીચાઇનું પાણી પોહોચાડવા બાહેધરી પત્ર એફિડેવિટ કર્યુ છે.  આપના ઉમેદવાર રાજુ કરપડાએ જો તેઓ ચુંટણી જીતશે તો અંતરીયાળ ગામો સુધી સિચાઇનું પાણી પોહોચાડવા જાહેર સભામાં એફિડેવિટ રજુ કર્યુ છે.આપના ઉમેદવાર એ એફિડેવિટ રજુ કરતા રાજકીય પાર્ટીઓમાં રાજકારણ ગરમાયુ છે.સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રથમ વખત કોઈ ઉમેદવાર એ ચુંટણી જીતે તો કામ કરવાનું એફિડેવિટ કર્યુ હોઇ તેવી પ્રથમ ઘટના સામે આવી છે.





પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.