નવું સંસદ ભવન PM મોદીના હસ્તે દેશને સમર્પિત, વૈદિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે સેંગોલની કરાઈ સ્થાપના, જાણો શું છે નવી પાર્લામેન્ટની વિશેષતા


  • Published By :
  • Published Date : 2023-05-28 13:39:14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વૈદિક વિધિ અને ધાર્મિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે વિવિધ ધર્મના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ લોકસભામાં સ્પીકરની ખુરશી પાસે રાજદંડ સેંગોલ પણ સ્થાપિત કર્યો હતો. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે પીએમ મોદીએ નવા સંસદ ભવનને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ આ ઈમારતનું નિર્માણ કરનારા શ્રમિકોનું પણ સન્માન કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે સંસદનાં ઉદ્ઘાટનનું બીજુ ચરણ બપોરે 12 વાગે શરુ થશે. જેમાં PM મોદી નવી સંસદને સંબોધિત પણ કરશે.


લોકસભામાં સેંગોલની સ્થાપના


​​નવા સંસદ ભવનના ઉદ્ઘાટન નિમિત્તે આયોજીત પૂજા અને હવન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેંગોલની પૂજા પણ કરી હતી. આ દરમિયાન, તેમણે રાજદંડ સેંગોલને સાષ્ટાંગ પ્રણામ કર્યા. તે ઉપરાંત ત્યાં ઉપસ્થિત સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં સ્પીકરની ખુરશી પાસે સેંગોલ સ્થાપિત કર્યું હતું.  નવા સંસદ ભવનમાં સર્વ-ધર્મ પ્રાર્થના ચાલુ છે. આ પ્રસંગે પીએમ મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર છે.

 

નવા સંસદની શું છે વિશેષતા?


નવા સંસદ ભવનની રચના ત્રિકોણાકાર છે, ચાર માળના આ સંસદ ભવન 64,500 વર્ગ મીટરમાં ફેલાયેલું છે. ભવનના ત્રણ મુખ્ય દ્વાર છે- જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર. તેમાં VIP, સાંસદો તથા મુલાકાતીઓ માટે અલગ-અલગ પ્રવેશ દ્વાર છે. નવા સંસદ ભવનના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવેલી સામગ્રી દેશના વિવિધ ભાગોમાંથી મંગાવવામાં આવી છે.નવી ઇમારત જૂની ઇમારત કરતાં 17 હજાર ચોરસ મીટર મોટી છે. તેના પર ભૂકંપની અસર નહીં થાય. તેની ડિઝાઇન HCP ડિઝાઇન, પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેના આર્કિટેક્ટ બિમલ પટેલ છે. નવા બિલ્ડિંગના નિર્માણમાં અંદાજીત 900 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 


લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 બેઠકોની ક્ષમતા  


નવા સંસદ ભવનમાં લોકસભામાં 888 બેઠકો છે અને મુલાકાતીઓની ગેલેરીમાં 336થી વધુ લોકો માટે બેઠક છે. હાલમાં રાજ્યસભાની બેઠક ક્ષમતા 280 છે. નવી રાજ્યસભામાં 384 બેઠકો છે અને વિઝિટર ગેલેરીમાં 336થી વધુ લોકો બેસી શકશે. લોકસભામાં એટલી જગ્યા હશે કે બંને ગૃહોના સંયુક્ત સત્ર દરમિયાન લોકસભામાં જ 1272થી વધુ સાંસદો એકસાથે બેસી શકશે. સંસદના દરેક મહત્વપૂર્ણ કામ માટે અલગ-અલગ ઓફિસ છે. અધિકારીઓ અને કર્મચારીઓ માટે હાઇટેક ઓફિસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. કાફે અને ડાઇનિંગ એરિયા પણ હાઇટેક છે. સમિતિની બેઠકના અલગ-અલગ રૂમમાં હાઇટેક સાધનો લગાવવામાં આવ્યા છે. અહીં કોમન રૂમ, લેડીઝ લાઉન્જ અને vip લાઉન્જ પણ છે. 


એન્ટી ડ્રોન અને મિસાઈલ સિસ્ટમથી સુસજ્જ 


નવા સંસદ ભવનની સુરક્ષા માટે એન્ટી ડ્રોન અને મિસાઈલ વિરોધી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. જો કે સુરક્ષા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સુરક્ષાના કારણોથી તે બાબત ગુપ્ત રાખવામાં આવી છે. આ અંગે એટલું જ કહીં શકાય કે નવું સંસદ ભવન ખૂબ જ સુરક્ષિત છે. કોઈ પણ હવાઈ હુમલાને ટાળવા માટે ડબલ પ્રોટેક્શન ગિયર હાજર રહેશે. જો ડ્રોન હોય તો તેને ઈલેક્ટ્રોનિક સાધનો દ્વારા અને શૂટર દ્વારા પણ નીચે લાવી શકાય છે. તમે એટલું જ સમજો કે આવી કોઈ વસ્તુ સંસદ ભવન નજીક ન આવી શકે. તેને અધવચ્ચે મારી નાખવામાં આવશે.


PM મોદીએ કર્યો હતો શિલાન્યાસ


સંસદ ભવનનું નિર્માણ 15 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયું હતું. આ બિલ્ડીંગ ગયા વર્ષે નવેમ્બરમાં પૂર્ણ થવાની હતી. PM નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારત તેની આઝાદીના 75 વર્ષ ઉજવશે ત્યારે સંસદની નવી ઇમારતથી વધુ સુંદર બીજું કંઈ ન હોઈ શકે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!