Gujaratમાં આજથી નવા આંદોલનના એંધાણ! માલધારીઓ કરી રહ્યા છે નવી ઢોર નિયંત્રણ પોલિસીનો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-11-24 13:02:35

રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. અનેક વખત આને લઈ સમાચારો સામે આવ્યા છે. અનેક લોકોના મોત પણ રખડતા ઢોરના હુમલાને કારણે થયા છે. લોકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે હાઈકોર્ટે તંત્રને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. રખડતા ઢોર પર નિયંત્રણ રાખવા માટે તંત્ર દ્વારા કેવા પગલા લેવાયા તે અંગે રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારે આજે સરકારની નવી ઢોર નિયંત્રણ પોલીસીના વિરોધમાં માલધારીઓએ આંદોલન છેડ્યું છે. નવી ઢોર નિયંત્રણ પોલીસીને લઈ માલધારી સમાજમાં રોષ વ્યાપી ઉઠ્યો છે.

   

રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવા માટે ઘડાઈ હતી નવી પોલીસી 

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMCએ રખડતા ઢોરને લઈને કાર્યવાહી તેજ કરી હતી. રસ્તા પર જોવા મળતી ગાયોને પકડવાની કામગીરી કરાઈ હતી. જ્યારે જ્યારે ગાયોને પકડવા માટે ટીમ જતી હતી ત્યારે ત્યારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. અનેક વખત તે ટીમ પર હુમલો થયો હોય તેવી માહિતી સામે આવી હતી. ત્યારે રખડતા ઢોર પર નિયંત્રણ આવે તે માટે નવી પોલીસી બનાવામાં આવી. જે મુજબ ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવાની રહેશે. 

નવી પોલીસીનો માલધારીઓ કરી રહ્યા છે વિરોધ 

આ નવી પોલીસી લાગુ કરવા અમદાવાદ મહાનગરપાલિકાએ રખડતા ઢોર નિયંત્રણ પોલિસી માટે અંતિમ નોટિસ જાહેર કરી છે. AMCની રખડતા ઢોરની નવી પોલીસી મુજબ આગામી સપ્તાહથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડી માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ નવી પોલીસીના વિરોધમાં માલધારી સમાજે સરકાર સામે આંદોલન કર્યું હતું. AMCએ નોંધણી અને વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવાનું ફરજીયાત બનાવતા માલધારી સમાજ રોષે ભરાયો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.