પેપર લીક અટકાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નવતર પ્રયોગ


  • Published By :
  • Published Date : 2022-11-08 15:28:32

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પેપર લીક થઈ રહ્યા છે. થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હતું. જેને કારણે વિદ્યાર્થીઓને નુકશાન થયું હતું. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવતર પ્રયોગ કરવાનું વિચારી રહી છે. આવતીકાલથી રાજકોટ સહિત જુદા જુદા કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની છે. પેપર લીકને અટકાવવા પરીક્ષામાં પરીક્ષાર્થીઓને વોટરમાર્ક વાળા પ્રશ્નપત્ર મોકલવામાં આવશે. 

Saurashtra University Rajkot: Admission, Fees, Courses, Placements, Cutoff,  Ranking

પેપર પર વોટરમાર્ક લગાવવામાં આવશે  

પેપર લીકને અટકાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નવતર પ્રયાસ કરવા જઈ રહ્યા છે. આવતી કાલ થી સૌરાષ્ટ્રના જુદા જુદા 110 કેન્દ્ર ઉપર અંદાજીત 42099 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે આ વખત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે. જે અંતર્ગત આવતી કાલથી શરૂ થતી પરિક્ષાના પેપરમાં વોટરમાર્ક લગાવવામાં આવશે. પેપર લીક થવાને પગલે પરીક્ષામાં QPDS લાગુ કરવામાં આવશે. 

કોમર્સના પેપર રૂબરૂ મોકલાશે

9મી તારીખથી શરૂ થતી પરીક્ષામાં કોમર્સ સિવાયની તમામ ફેકલ્ટીમાં QPDS લાગુ કરવામાં આવશે. પરંતુ આ સિસ્ટમ કોમર્સ ફેકલ્ટી માટે અમલી નથી કરવાના. કોમર્સના પેજ વધુ માત્રમાં હોવાથી જે તે પરીક્ષા કેન્દ્ર પર ઓછા સમયમાં પ્રિન્ટ કાઢવી શક્ય નહીં હોવાને કારણે કોમર્સના પેપર યુનિવર્સિટી રૂબરૂ મોકલાશે. તેની સિવાયના તમામ પેપર ઈ-મેલના માધ્યમથી મોકલવામાં આવશે. 

વોટરમાર્ક લગાવવાથી શું થશે ફાયદો?

જો આ વખતે પણ પેપર લીક થાય તો આ સિસ્ટમના લાગુ કરવાથી કયા કેન્દ્ર પરથી પેપર લીક થયું છે તેની જાણકારી મેળવવી ઘણી સહેલી થઈ જશે. જો વોટરમાર્ક વાળા પ્રશ્ન પત્ર આપવામાં આવે તો પેપર કયાં કેન્દ્રથી અથવા કઈ કોલેજથી લીક થયું છે તેની જાણકારી મળી રહેશે.   



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.