મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે આજે યોજાશે NEETની પરીક્ષા, 21 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા, હિંસાગ્રસ્ત મણિપુરમાં પરીક્ષા મોકૂફ


  • Published By :
  • Published Date : 2023-05-07 12:21:05

મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે દેશની સૌથી મોટી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2023 આજે 7 મેના રોજ યોજાશે. NEETની પરીક્ષા દેશના 499 શહેરોમાં 4000 પરીક્ષા કેન્દ્રોમાં યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજીત નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG 2023) આજે રવિવારના રોજ બપોરે 2 થી 5.20 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. પરીક્ષા માટે ઉમેદવારોએ તમામ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું પડશે. 


20.86 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે


NEET UGની પરીક્ષામાં 20 લાખ 86 હજાર વિદ્યાર્થીઓ આપશે. પરીક્ષા બપોરે 2 થી 5.20 દરમિયાન યોજાશે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 582 પરીક્ષા કેન્દ્રો અને બીજા નંબર પર યુપીમાં 451 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજસ્થાનના 24 શહેરોમાં 354 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જ્યારે, હિંસાગ્રસ્ત મણિપુરમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 


પરીક્ષામાં અંગ્રેજી ભાષાનો દબદબો


NTAના ડાયરેક્ટર જનરલ વિનીત જોશીએ જણાવ્યું હતું કે રવિવારે યોજાનારી દેશની સૌથી મોટી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશભરના 499 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે NEET UG પરીક્ષામાં લગભગ 16 લાખ 72 હજાર 912 વિદ્યાર્થીઓએ પરીક્ષાના માધ્યમ તરીકે અંગ્રેજી પસંદ કર્યું છે. જ્યારે હિન્દી ભાષાને બે લાખ 76 હજાર 175 ઉમેદવારોએ પસંદ કરી છે.



દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.

સામે વાળાને આપણે આસાનીથી કોઈ પણ પ્રશ્ન કરી દેતા હોઈએ છીએ....પરંતુ આપણે પોતાની જાતને સવાલ નથી કરતા... પોતાના વિચારોમાં લોકો એટલા મસ્ત હોય છે કે દુનિયાની પરવાહ નથી હોતી.