સંસદ બહાર ધરણા કરનારી નીલમ છે હાઈલી ક્વોલિફાઇડ, BA, MA, B.Ed, M.Ed, CTET, M.Phil અને NET છે


  • Published By :
  • Published Date : 2023-12-13 20:59:56

સંસદ ભવન બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ બુધવારે બપોરે ધરપકડ કરાયેલી નીલમ વિશે મહત્વની માહિતી સામે આવી છે. તે હરિયાણાના જીંદની રહેવાસી છે. નીલમના ભાઈએ કહ્યું કે અમને ખબર ન હતી કે તે દિલ્હી ગઈ છે. અમને ખબર હતી કે તે અભ્યાસ માટે હિસારમાં હતી. તે ગઈ કાલના આગલા દિવસે આવી હતી અને ગઈકાલે જ પાછી ગઈ હતી.નીલમના ભાઈએ આપેલી માહિતી મુજબ તેણે ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું છે. નિલમે ઘણી વખત બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે અને ખેડૂતોના આંદોલનમાં ભાગ લીધો હતો.


ખેડૂત આંદોલનમાં ભાગ લીધો હતો

 

નીલમના ભાઈ રામનરેશે જણાવ્યું હતું કે, “નીલમ મારી મોટી બહેન છે. અમને ખબર ન હતી કે તે દિલ્હી ગઈ હતી. અમને ફક્ત એટલું જ ખબર હતી કે અમે તેને વધુ અભ્યાસ માટે હિસારમાં રાખી હતી. તે ગઈ કાલના આગલા દિવસે આવી હતી, કાલે પાછી ગઈ હતી. તે BA, MA, B.Ed, M.Ed, CTET, M.Phil અને NET લાયકાત ધરાવે છે.” ખેડૂત આંદોલન તેનું પ્રથમ આંદોલન હતું. આ કારણોસર અમે તેને હિસારમાં છોડી દીધું હતું. આ ઘટનાને 6 મહિના થઈ ગયા છે. આજની ઘટના વિશે મોટા ભાઈએ અમને માહિતી આપી હતી. અમારા પિતા કંદોઈ છે, મારો ભાઈ અને હું દૂધ વેચવાનું કામ કરીએ છીએ. અમને ખબર નથી કે તેણે સારું કામ કર્યું છે કે ખરાબ.”


નીલમની માતાએ શું કહ્યું?


નીલમની માતા સરસ્વતીએ મીડિયાને જણાવ્યું હતું કે, “તે બેરોજગારીને લઈને ખૂબ જ ચિંતિત હતી. અમે તેની સાથે વાત કરી પરંતુ તેણે અમને દિલ્હી વિશે કશું કહ્યું નહોતું. તે મને કહેતી હતી કે તે આટલી ભણેલી છે છતાં તેની પાસે કોઈ નોકરી નથી. હું મરી જાઉં એ સારું. અમે ગરીબ લોકો છીએ અને માંડ માંડ જીવન ગુજારીએ છીએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.