સંસદ બહાર ધરણા કરનારી નીલમ છે હાઈલી ક્વોલિફાઇડ, BA, MA, B.Ed, M.Ed, CTET, M.Phil અને NET છે


  • Published By :
  • Published Date : 2023-12-13 20:59:56

સંસદ ભવન બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ બુધવારે બપોરે ધરપકડ કરાયેલી નીલમ વિશે મહત્વની માહિતી સામે આવી છે. તે હરિયાણાના જીંદની રહેવાસી છે. નીલમના ભાઈએ કહ્યું કે અમને ખબર ન હતી કે તે દિલ્હી ગઈ છે. અમને ખબર હતી કે તે અભ્યાસ માટે હિસારમાં હતી. તે ગઈ કાલના આગલા દિવસે આવી હતી અને ગઈકાલે જ પાછી ગઈ હતી.નીલમના ભાઈએ આપેલી માહિતી મુજબ તેણે ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું છે. નિલમે ઘણી વખત બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે અને ખેડૂતોના આંદોલનમાં ભાગ લીધો હતો.


ખેડૂત આંદોલનમાં ભાગ લીધો હતો

 

નીલમના ભાઈ રામનરેશે જણાવ્યું હતું કે, “નીલમ મારી મોટી બહેન છે. અમને ખબર ન હતી કે તે દિલ્હી ગઈ હતી. અમને ફક્ત એટલું જ ખબર હતી કે અમે તેને વધુ અભ્યાસ માટે હિસારમાં રાખી હતી. તે ગઈ કાલના આગલા દિવસે આવી હતી, કાલે પાછી ગઈ હતી. તે BA, MA, B.Ed, M.Ed, CTET, M.Phil અને NET લાયકાત ધરાવે છે.” ખેડૂત આંદોલન તેનું પ્રથમ આંદોલન હતું. આ કારણોસર અમે તેને હિસારમાં છોડી દીધું હતું. આ ઘટનાને 6 મહિના થઈ ગયા છે. આજની ઘટના વિશે મોટા ભાઈએ અમને માહિતી આપી હતી. અમારા પિતા કંદોઈ છે, મારો ભાઈ અને હું દૂધ વેચવાનું કામ કરીએ છીએ. અમને ખબર નથી કે તેણે સારું કામ કર્યું છે કે ખરાબ.”


નીલમની માતાએ શું કહ્યું?


નીલમની માતા સરસ્વતીએ મીડિયાને જણાવ્યું હતું કે, “તે બેરોજગારીને લઈને ખૂબ જ ચિંતિત હતી. અમે તેની સાથે વાત કરી પરંતુ તેણે અમને દિલ્હી વિશે કશું કહ્યું નહોતું. તે મને કહેતી હતી કે તે આટલી ભણેલી છે છતાં તેની પાસે કોઈ નોકરી નથી. હું મરી જાઉં એ સારું. અમે ગરીબ લોકો છીએ અને માંડ માંડ જીવન ગુજારીએ છીએ.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.