NDRFની ટીમે કાટમાળ નીચે દટાયેલી 6 વર્ષની બાળકીનો જીવ બચાવ્યો, અમિત શાહે કરી પ્રશંસા


  • Published By :
  • Published Date : 2023-02-10 14:03:31

તુર્કીને ધ્રુજાવી નાખનારા ભૂકંપના કારણે અત્યાર સુધી 11 હજારથી પણ વધુ લોકોના મોત થયા છે. આ ભયાનક ધરતીકંપ બાદ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જોરશોરથી બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલી બચાવ ટુકડીઓ કાટમાળમાં દટાયેલા લોકોને શોધવાના સતત પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન ભારતની NDRFની ટીમે પણ અભૂતપૂર્વ કામગીરી કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. NDRFની ટીમે કાટમાળમાંથી 6 વર્ષની બાળકીને બચાવી છે.


બાળકીને કઈ રીતે બચાવી?


તુર્કી મોકલવામાં આવેલી NDRF અને ઇન્ડિયન આર્મીની ટીમ ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ કાટમાળ નીચે દબાયેલાં લોકોને શોધીને નવું જીવન આપી રહી છે. NDRF આઠમી બટાલિયન ગાઝિયાબાદની ટીમે ભૂકંપના 90 કલાક પછી 6 વર્ષની બાળકીને જીવતી રેસ્ક્યૂ કરી છે. ત્યાં જ પરિવારના ત્રણ સભ્યોને ગુમાવી ચૂકેલી 13 વર્ષની બાળકી 72 કલાક પછી કાટમાળમાંથી જીવતી બહાર આવી છે અને હવે તે ઇન્ડિયન આર્મીની 60 પેરા ફીલ્ડ હોસ્પિટલ આગ્રામાં દેખરેખ હેઠળ છે.  સેનાની આઠમી બટાલિયનની ટીમ તુર્કીના ગાજિયાન્ટેપ પ્રોવિન્સના નૂરદાગ શહેરમાં રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે. NDRFની ટીમે ગુરુવાર રાતે 6 વર્ષની બાળકીને જીવિત અને 6 લોકોના શબ બહાર કાઢ્યા છે. એલ્વાનમાં બેરેન નામની આ બાળકી 90 કલાક પછી કાટમાળમાંથી બહાર આવી છે. તેને તરત જ હોસ્પિટલ મોકલવામાં આવી છે. લોકલ રિપોર્ટ્સ પ્રમાણે અત્યાર સુધી નૂરદાગમાં લગભગ 1100 લોકોનું મૃત્યુ થઈ ગયું છે અને લગભગ 2000 લોકો ઘાયલ છે.


અમિત શાહે પણ અંગે ટ્વીટ કર્યું


ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્વીટ કર્યું છે અને બચાવનો વીડિયો પણ શેર કર્યો છે. ટ્વીટર પર તુર્કીનો એક વીડિયો શેર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, 'અમને આપણા NDRF પર ગર્વ છે. તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશનમાં, IND-11 ટીમે ગાઝિયાંટેપ શહેરમાં છ વર્ષની બાળકી બેરેનનો જીવ બચાવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, અમે NDRFને વિશ્વની અગ્રણી ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ બનાવવા માટે કટિબદ્ધ છીએ.



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..