અમિત શાહને મળ્યા બાદ દેવેગૌડાની JDS પાર્ટી NDAમાં જોડાઈ, નડ્ડાએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-09-22 22:52:06

કર્ણાટકના પૂર્વ CM અને JDS નેતા એચડી કુમારસ્વામી આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં પણ ઔપચારિક રીતે જોડાયા છે. આ બેઠક દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગોવાના સીએમ પ્રમોદ સાવંત પણ હાજર હતા. જેડીએસ એનડીએમાં વિલીન થયા બાદ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું કે મને ખુશી છે કે જેડી(એસ) એ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)નો ભાગ બનવાનો નિર્ણય કર્યો છે. અમે એનડીએમાં તેમનું દિલથી સ્વાગત કરીએ છીએ. આનાથી NDA અને PM મોદીના ન્યૂ ઈન્ડિયા, સ્ટ્રોંગ ઈન્ડિયાના વિઝનને વધુ મજબૂતી મળશે.


કર્ણાટકમાં થશે સીટોની વહેંચણી


દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા બાદ કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે આજે અમે ઔપચારિક રીતે ભાજપ સાથે હાથ મિલાવવાની ચર્ચા કરી હતી. અમે પ્રારંભિક મુદ્દાઓ પર ઔપચારિક રીતે ચર્ચા કરી છે. અમારી કોઈ માંગણી નથી. તે જ સમયે, ગોવાના સીએમ પ્રમોદ સાવંતનું કહેવું છે કે એનડીએને મજબૂત કરવા માટે, જેડીએસ આજે ઔપચારિક રીતે એનડીએ ગઠબંધનમાં જોડાઈ છે અને આ માટે હું તેમને અભિનંદન આપું છું. સંસદીય બોર્ડ અને જેડીએસ બેઠકોની વહેંચણી પર નિર્ણય લેશે.


NDAમાં જોડાતા કોને ફાયદો થશે?


હવે ભાજપ માટે આ ઘણાં મોટા સમાચાર છે. હકિકતમાં જેડીએસ કર્ણાટકમાં એક મજબૂત પાર્ટી છે, દક્ષિણના વિસ્તારોમાં તો તેમની મજબૂત પકડ છે. આ ઉપરાંત વોકલિંગ સમુદાયમાં પૂર્વ PM દેવગૌડાના કારણે પાર્ટીની સારી એવી લોકપ્રિયતા છે. એવામાં ચૂંટણી મૌસમમાં જ્યારે ભાજપને જેડીએસનો સાથે મળી રહ્યો છે, તો તેની અસર જમીન પર જોવા મળશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો રકાસ થયો હતો, ત્યારે હવે JDS સાથે આવતા પાર્ટીની મુશ્કેલીઓ થોડી આસાન બની શકે છે. ઉલ્લેખનિય છે કે ગત ચૂંટણીમાં JDSનું પ્રદર્શન કેવું હતુંકર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કિંગમેકરનું સપનું જોતી JDSને માત્ર 19 સીટ જ મળી હતી, ત્યારે તેમણો વોટ શેર પણ 13 ટકાની આસપાસ રહ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસે પ્રચંડ બહુમતી મેળવતા 135 સીટ જીતી હતી. જ્યારે ભાજપનો આંકડ 66 પર જ સમેટાઈ ગયો હતો. આ પરિણામ બાદ ભાજપ દક્ષિણમાં ખાસ કરીને કર્ણાટકમાં એક વિશ્વાસુ સહયોગી શોધી રહ્યું હતું, જે કાર્ય અંતે આજે પૂર્ણ થયું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.