NCRB Report : હૃદય હુમલાથી આકસ્મિક થતા મોતમાં Gujarat ત્રીજા ક્રમે! જાણો વર્ષ 2022માં કેટલા લોકોના મોત થયા?


  • Published By :
  • Published Date : 2023-12-05 10:02:46

એક સમય હતો જ્યારે કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. પ્રતિદિન સમાચારોમાં આવતું હતું કે આટલા લોકોના મોત કોરોના સંક્રમિત થયા હોવાને કારણે થયા છે. યુવાનો તેમજ વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવવાના બનાવોમાં સતત વધારો ઝિંકાયો છે. નાની ઉંમરે યુવાનો તેમજ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તેમના મોત થઈ રહ્યા છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા એવું માનવામાં આવી રહ્યું હતું કે સરેરાશ પ્રતિદિન બેથી ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થાય છે પરંતુ હવે હૃદયહુમલાને લઈ એનસીઆરબીનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં પ્રતિદિન સરેરાશ 8થી 9 લોકોના મૃત્યુ હૃદયહુમલાને કારણે થાય છે.  

The mysterious death of a teenager who went for a photo session on a  railway track | રેલવે ટ્રેક પર ફોટો સેશન માટે ગયેલા કિશોરનું રહસ્યમય મોત -  Divya Bhaskar

ગુજરાતમાં 8 જેટલા લોકોના હોર્ટ એટેકને કારણે થાય છે!

કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. કોરોનાની અસર તો ધીમે ધીમે ના બરાબર થઈ ગઈ પરંતુ કોરોના બાદ હાર્ટ એટેક ગંભીર રીતે લોકોને હચમચાવી રહ્યો છે. લગભગ દરરોજ અમે લોકો સમાચાર આપીએ છીએ કે રાજ્યમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત છે. અલગ અલગ જગ્યાઓ પરથી મોતના સમાચાર આવતા હોય છે. યુવાનોના મોત થઈ રહ્યા છે જ્યારે વિદ્યાર્થીઓ પણ હૃદયહુમલાના શિકાર બની રહ્યા છે. હૃદય હુમલાના આકસ્મિક મોત મામલે દેશમાં ગુજરાતનો ક્રમ ત્રીજો છે. પહેલા ક્રમે મહારાષ્ટ્ર આવે છે જ્યારે બીજા ક્રમે કેરલા આવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ એટલે કે એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022માં 2853 લોકોના હૃદયહુમલાને કારણે આકસ્મિક મોત થયા છે. ગુજરાતમાં પ્રતિદિન 8 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થાય છે તેવું રિપોર્ટ પરથી જાણી શકાય છે. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

ક્યાં કેટલા કેસ નોંધાયા? 

દેશમાં હૃદયરોગની ઘટનામાં જે કેસ નોંધાયા છે તેમાં 30થી 45 વર્ષની વયના 9722, 45થી 60 વર્ષના 12290 જ્યારે 60 વર્ષથી કે તેથી વધુ વયના 7063 જેટલા કેસ નોંધાયા છે. ગુજરાતમાં વર્ષ 2022માં 2853 લોકોના આકસ્મિત મોત થયા છે જેમાં 2529 પુરૂષો તેમજ 324 મહિલાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં આ મોતનો આંકડો 12591 છે જ્યારે કેરલામાં 3993 પર પહોંચ્યો છે. છત્તીસગઢમાં 468 લોકોના આકસ્મિત રીતે મોત થયા છે જ્યારે હરિયાણામાં 1148 લોકોના મોત થયા છે. ઓડિસામાં 501 લોકોના મોત, પંજાબમાં 908, રાજસ્થાનમાં 1422, તમિલનાડુમાં 1630ના મોત હૃદયરોગની આકસ્મિત ઘટનામાં થયા છે. 

હાર્ટ એટેક આવતા પહેલાં શરીર આપે છે આ સંકેત, ભૂલથી પણ તેની અવગણના ન કરતાં |  Early Signs of a Heart Attack

શિક્ષકોને અપાઈ રહી છે સીપીઆર ટ્રેનિંગ 

ઉલ્લેખનિય છે કે કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 20-25 વર્ષના યુવાનોને કાળ ભરખી રહ્યો છે. શાળામાં ભણતા વિદ્યાર્થી ગમે ત્યારે અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે. જેમણે હજી દુનિયા જોઈ નથી તે દુનિયાને અલવિદા કહી રહ્યા છે. જો તમને પણ છાતીમાં દુખે, શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા તો કંઈ પણ શરીરમાં અલગ અલગ લાગે તો આજે જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકને ધ્યાનમાં રાખી શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી છે.       

વડોદરાના ૬૦૫૫ શિક્ષકોએ સીપીઆરની તાલીમ લીધી, ૫૦૦ જેટલા શિક્ષકો ગેરહાજર |  6000 teachers took cpr training in vadodara



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!