પવારની હાલત પણ દાભોલકર જેવી થશે - NCP ચીફને સોશિયલ મીડિયા પર મળી મોતની ધમકી, FIR દાખલ


  • Published By :
  • Published Date : 2023-06-09 15:41:35

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી મળ્યાનો દાવો શુક્રવાર ( 9 જુન)ના રોજ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ અંગે મીડિયાને જણાવવામાં આવ્યું કે આ ધમકી સોશલ મીડિયા પર આપવામાં આવી અને તેનું સંજ્ઞાન લઈને મુંબઈ પોલીસે ફરિયાદ પણ નોંધી છે.


ફેશબુક મારફતે મળી ધમકી


પવારની પુત્રી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં NCPના કાર્યકર્તાઓનું એક પ્રતિનિધી મંડળ મુંબઈ પોલીસના વડા વિવેક ફણસાલકર સાથે મુલાકાત કરીને તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે. પાર્ટી નેતાઓએ પોલીસને જણાવ્યું  કે 82 વર્ષિય પવારને ફેશબુક મેસેજ મળ્યો હતો જેમાં લખ્યું હતું કે તેમની દશા પણ (નરેન્દ્ર) દાભોલકાર જેવી થશે.


પોલીસે શરૂ કરી તપાસ


NCPના પ્રમુખ શરદ પવારને મળેલી ધમકી અંગે પોલીસે જણાવ્યું  કે અમે આ કેસ જોઈ રહ્યા છિએ, અમે આ દિશામાં તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ કહ્યું NCPએ ફરિયાદ નોંધવા માટે પ્રતિનિધી મોકલ્યા હતા. તેમણે કહ્યું, પોલીસ આ દિશામા દક્ષિણ ક્ષેત્ર સાઈબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી છે.  


કોણ હતા દાભોલકર?


શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે પણ ધમકીભર્યા સંદેશની તસવીર પોલીસને શેર કરી હતી, અત્રે ઉલ્લેખનિય છે કે અંધ વિશ્વાસ સામે લડનારા નરેન્દ્ર દાભોલકરની 20 ઓગસ્ટ 2013ના રોજ પૂણેમાં સવારે બાઈક પર આવેલા કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને હત્યા કરી નાખી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.