અજિતના બળવા બાદ હવે NCP પર દાવાની લડાઈ, શરદ પવારે કહ્યું 'મારી વિચારધારા સાથે દગો થયો'


  • Published By :
  • Published Date : 2023-07-04 21:45:55

મહારાષ્ટ્રમાં અજિત પવારના બળવા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં ખળભળાટ મચી ગયો છે. અજિત પવાર શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા બાદ NCP બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. એક તરફ અજિત પવાર જૂથ અને બીજી બાજુ શરદ પવાર જૂથ રચાયું છે. બંને પક્ષો હવે NCP પર પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. આને જોતા NCP ચીફ શરદ પવાર અને અજિત પવારે  પોતાની તાકાત બતાવી શકે તે માટે બુધવારે પાર્ટી નેતાઓની બેઠક બોલાવી છે. શરદ પવારે કહ્યું કે તેમની વિચારધારા સાથે 'દગો' થયો છે, આ માટે તેઓ બળવાખોરોને ક્યારેય માફ નહીં કરે.


"મારી વિચારધારા સાથે 'દગો' કર્યો છે"


NCP પ્રમુખ શરદ પવારે મંગળવારે કહ્યું હતું કે તેઓ જે પાર્ટીના અધ્યક્ષ છે અને જયંત પાટીલ, કે જ મહારાષ્ટ્ર એકમના પ્રમુખ છે, તેઓ તેમના ફોટાનો ઉપયોગ કરી શકે છે. પવારે કહ્યું કે જેમણે તેમની વિચારધારા સાથે 'દગો' કર્યો છે તેમણે તેમના ફોટાનો ઉપયોગ ન કરવો જોઈએ. પવારનું નિવેદન તેમના ભત્રીજા અજિત પવાર અને NCPના અન્ય 8 ધારાસભ્યો મહારાષ્ટ્રમાં શિવસેના-ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારમાં જોડાયાના બે દિવસ બાદ આવ્યું છે.


'બળવાખોર જૂથ મારા ફોટાનો ઉપયોગ   કરે'


શરદ પવારે કહ્યું, 'જે પક્ષનો હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને જયંત પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે, તે જ પક્ષ મારા ફોટાનો ઉપયોગ કરી શકે છે. તેમના જીવનકાળ દરમિયાન તેમના ચિત્રનો ઉપયોગ કોણે કરવો તે નક્કી કરવાનો તેમને અધિકાર છે. NCP પ્રમુખે કહ્યું, "જે લોકોએ મારી વિચારધારા સાથે દગો કર્યો છે અને જેમની સાથે મારો વૈચારિક મતભેદ છે તેઓ મારા ફોટાનો ઉપયોગ કરી શકતા નથી." અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ, મંગળવારે દક્ષિણ મુંબઈમાં અજિત પવારની આગેવાની હેઠળના NCP જૂથની નવી ઓફિસમાં શરદ પવારની તસવીર જોવા મળી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.