ઈતિહાસના પુસ્તકમાંથી મુઘલ દરબારનું પ્રકરણ કેમ હટાવવામાં આવ્યું? NCERTના ડાયરેક્ટરે કર્યો આ ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-04-05 19:28:28

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ 12મા ધોરણના ઈતિહાસ સહિત ઘણા વિષયોના પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરતા મુઘલ શાસન કાળના કેટલાક પ્રકરણો દૂર કર્યા છે, જેના કારણે વિવાદ સર્જાયો છે. આ મુદ્દે રાજકીય હુમલાઓ વચ્ચે NCERTના ડાયરેક્ટર પ્રો. દિનેશ પ્રસાદ સકલાણીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કોવિડ રોગચાળા પછી દરેક વિષયમાં નિષ્ણાત સમિતિઓની રચના કરવામાં આવી હતી જેથી કરીને બાળકો પર અભ્યાસક્રમનો બોજ ઓછો કરી શકાય.


એક્સપર્ટ કમિટીએ કર્યું હતું સુચન


નિષ્ણાત સમિતિએ દરેક વિષયની સામગ્રી જોઈ અને તે પછી નક્કી કરવામાં આવ્યું કે કયા-કયા પ્રકરણો દૂર કરવામાં આવે. તેમણે કહ્યું કે આ બધું શૈક્ષણિક પ્રક્રિયાના ભાગરૂપે થયું છે. NCERT તરફથી કોઈ ભેદભાવ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે માત્ર મુગલ ઈતિહાસની જ કેમ વાત કરવામાં આવે છે, પણ તેવું નથી ગણિત, વિજ્ઞાન, ભૂગોળ સહિતના તમામ વિષયોમાં કન્ટેન્ટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 


મુઘલ ઇતિહાસ કેમ હટાવ્યો?


NCERTના પુસ્તરોમાંથી મુઘલ ઇતિહાસ હટાવવાનું કારણ આપતા NCERTના ડાયરેક્ટરે જણાવ્યું કે નિષ્ણાતોની સમિતિએ એવા વિષયો દૂર કર્યા છે જે બાળકોએ અગાઉ ક્યાંક અભ્યાસ કર્યો હોય. અભ્યાસ સામગ્રી પુનરાવર્તિત થઈ રહી હતી અને આ પણ એક સામાન્ય પ્રક્રિયા છે. આ વખતે કોરોનાને કારણે આ પ્રક્રિયા હેઠળ કન્ટેન્ટનો બોજ ઓછો કરવો જરૂરી હતો અને તેના આધારે તે કરવામાં આવ્યું છે. જે બાબત વિદ્યાર્થીઓને એક વર્ગમાં ભણાવવામાં આવ્યું હોય તો તે જ બીજા વર્ગમાં ભણાવવામાં આવે તેનો કોઈ મતલબ નથી.



હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.