ઈતિહાસના પુસ્તકમાંથી મુઘલ દરબારનું પ્રકરણ કેમ હટાવવામાં આવ્યું? NCERTના ડાયરેક્ટરે કર્યો આ ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-04-05 19:28:28

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ 12મા ધોરણના ઈતિહાસ સહિત ઘણા વિષયોના પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરતા મુઘલ શાસન કાળના કેટલાક પ્રકરણો દૂર કર્યા છે, જેના કારણે વિવાદ સર્જાયો છે. આ મુદ્દે રાજકીય હુમલાઓ વચ્ચે NCERTના ડાયરેક્ટર પ્રો. દિનેશ પ્રસાદ સકલાણીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કોવિડ રોગચાળા પછી દરેક વિષયમાં નિષ્ણાત સમિતિઓની રચના કરવામાં આવી હતી જેથી કરીને બાળકો પર અભ્યાસક્રમનો બોજ ઓછો કરી શકાય.


એક્સપર્ટ કમિટીએ કર્યું હતું સુચન


નિષ્ણાત સમિતિએ દરેક વિષયની સામગ્રી જોઈ અને તે પછી નક્કી કરવામાં આવ્યું કે કયા-કયા પ્રકરણો દૂર કરવામાં આવે. તેમણે કહ્યું કે આ બધું શૈક્ષણિક પ્રક્રિયાના ભાગરૂપે થયું છે. NCERT તરફથી કોઈ ભેદભાવ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે માત્ર મુગલ ઈતિહાસની જ કેમ વાત કરવામાં આવે છે, પણ તેવું નથી ગણિત, વિજ્ઞાન, ભૂગોળ સહિતના તમામ વિષયોમાં કન્ટેન્ટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 


મુઘલ ઇતિહાસ કેમ હટાવ્યો?


NCERTના પુસ્તરોમાંથી મુઘલ ઇતિહાસ હટાવવાનું કારણ આપતા NCERTના ડાયરેક્ટરે જણાવ્યું કે નિષ્ણાતોની સમિતિએ એવા વિષયો દૂર કર્યા છે જે બાળકોએ અગાઉ ક્યાંક અભ્યાસ કર્યો હોય. અભ્યાસ સામગ્રી પુનરાવર્તિત થઈ રહી હતી અને આ પણ એક સામાન્ય પ્રક્રિયા છે. આ વખતે કોરોનાને કારણે આ પ્રક્રિયા હેઠળ કન્ટેન્ટનો બોજ ઓછો કરવો જરૂરી હતો અને તેના આધારે તે કરવામાં આવ્યું છે. જે બાબત વિદ્યાર્થીઓને એક વર્ગમાં ભણાવવામાં આવ્યું હોય તો તે જ બીજા વર્ગમાં ભણાવવામાં આવે તેનો કોઈ મતલબ નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.