છત્તીસગઢમાં થયો નક્સલી હુમલો, ઘટનામાં 11 જવાન થયા શહીદ! આ મામલે સીએમ બઘેલે આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-04-26 17:23:32

છત્તીસગઢમાં નક્સલવાદી હુમલો થયો છે. છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે જેમાં અનેક જવાનો શહીદ થયા છે. આ હુમલામાં નક્સલવાદીઓએ એક વાહનને બોમ્બથી ઉડાવી દીધું છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં 10 જેટલા પોલીસકર્મી શહીદ થયા છે. આ જવાનો ડિસ્ટ્રિક્ટ રિજર્વ ગાર્ડ યૂનિટના હતા. નક્સલવાદીઓએ બારૂદી સુરંગમાં વિસ્ફોટ કર્યો હતો.

   

સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓએ કર્યો હુમલો!

બુધવાર બપોરે છત્તીસગઢમાં એક ઘટના બની હતી. નક્સલવાદી હુમલાની ઘટના સામે આવી છે જેમાં 10 જેટલા પોલીસકર્મીઓ શહીદ થયા છે. નક્સલવાદીઓ હોવાની જાણકારી મળી હતી જેને લઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં  આવ્યું હતું. આ દરમિયાન નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કરી દીધો હતો. આ ઘટનાને લઈ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે પ્રતિક્રિયા આપી છે.  


સીએમએ આ ઘટના બાદ આપી પ્રતિક્રિયા!

ભૂપેશ બાઘેલે કહ્યું કે નક્સલવાદીઓને બક્ષવામાં નહીં આવે. આ ઘટના ખુબ જ દૂખદ છે. નક્સલવાદીઓ સામેની લડાઈ અંતિમ તબક્કામાં છે. નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે. આ ઘટના અંગે રાજ્યના પૂર્વ સીએમ રમણ સિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બઘેલ દરેક હુમલા પછી એક જ વાત કહે છે પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. જ્યાં સુધી રાજ્યો સાથે સંકલન કરીને નક્સલવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન નહીં ચલાવવામાં આવે ત્યાં સુધી આ સમસ્યાનો અંત નહીં આવે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.