Nawaz Sharifની Gucciની ટોપી બની પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય, જાણો શું છે કારણ


  • Published By :
  • Published Date : 2024-01-30 22:37:58

પાકિસ્તાનમાં નવાઝ શરીફની ટોપી આજકાલ ભારે ચર્ચાનો વિષય બની છે. પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે નવાઝ શરીફે પહેરેલી ગુચી (Gucci) કંપનીની જે ટોપી પહેરી છે તેની બજારમાં કિંમત એક લાખ પાકિસ્તાની રૂપિયાની છે. આવી સ્થિતિમાં, ચર્ચા શરૂ થઈ છે કે એક તરફ પાકિસ્તાન આર્થિક સંકટ સાથે ઝઝૂમી રહ્યું છે અને બીજી તરફ નવાઝ શરીફ 1 લાખ રૂપિયાની ટોપી પહેરીને ફરે છે.


નનકાના સાહિબમાં કેપ પહેરીને રેલી કરી


નવાઝ શરીફની કેપ તેની કિંમતની સાથે અન્ય કારણસર પણ ચર્ચાઈ રહી છે. વાસ્તવમાં, પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે કેપ પરના પટ્ટાઓ ઈમરાન ખાનના પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ઝંડા જેવા જ છે. નવાઝ શરીફે હાલમાં જ પંજાબ પ્રાંતના નનકાના સાહિબમાં આ કેપ પહેરીને રેલી કરી હતી.


લોકોમાં રોષ શા માટે છે?


એજન્સી અનુસાર, પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે તેમના દેશમાં આ દિવસોમાં પેટ્રોલ-ડિઝલ, વીજળી અને ખાદ્યપદાર્થો સહિતની જીવન જરૂરીયાતની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. તે ઉપરાંત વિદેશી હુંડિયામણના અભાવે જબરદસ્ત આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. વિશ્વ બેંકની એક રિપોર્ટ મુજબ, કોરોના મહામારી બાદ પાકિસ્તાનની રિકવરી આર્થિક અસંતુલનના કારણે અટકી ગઈ છે.



પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .