Navsari : વાંસદામાં મળેલી હાર બાદ છલકાયું પૂર્વ કેબિનેટ મંત્રી Naresh Patelનું દર્દ, કહ્યું Congress નહીં પરંતુ..


  • Published By :
  • Published Date : 2023-12-09 17:47:33

ભાજપને શિસ્તવાળી પાર્ટી માનવામાં આવે છે. ભાજપના નેતાઓ એક પ્રોટોકોલને ફોલો કરે છે તે આપણે જાણીએ છીએ. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. આંતરિક ડખા એટલી હદે વધી રહ્યા છે કે નેતાઓ જાહેર સભામાં પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. આપણી સામે અનેક એવા કિસ્સાઓ છે જેમાં પાર્ટીના નેતાઓ પોતાના જ પાર્ટીથી નારાજ ચાલતા હોય તેવું દેખાઈ આવે છે. ત્યારે ભાજપના ગણદેવીના ધારાસભ્ચ અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાની વ્યથા ઠાલવી હતી.


સ્નેહ મિલન કાર્યક્રમમાં મંત્રીએ ઠાલવી વેદના!

ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રીએ સ્નેહમિલન કાર્યક્રમમાં પોતાની વ્યથા ઠાલવી હતી. ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી નરેશ પટેલે કહ્યું કે “કોંગ્રેસનો કોઈ ડર નથી, આપણા જ આપણને નડે છે, આ લોકોને સમયે હું ઓળખી ન શકયો તેનો અફસોસ છે.”જ્યારે આ નિવેદન તેમણે આપ્યું ત્યારે ત્યાં નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ પણ હાજર હતા. લોકસભા ચૂંટણીમાં વાંસદામાંથી 30 થી 75 હજાર મતોની લીડ અપાવવા હાંકલ કરી હતી. મહત્વનું છે કે અનેક નેતાઓએ પોતાની વ્યથા ઠાલવી છે ત્યારે આજે નરેશ પટેલે પણ કહી દીધું કે આપણાં જ આપણને નડે છે!                



પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?

રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે મળીને સેટેલાઇટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે ખુબ ઉત્સુક છે . વોડાફોન-આઈડિયા માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે . તો જાણીએ કઈ રીતે સ્પેસએક્સનું ઈન્ટરનેટ કામ કરે છે?

પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .