નવરાત્રીમાં 12 વાગ્યા સુધી બોલાશે ગરબાની રમઝટ, સરકારે આપી લાઉડસ્પીકરની મંજૂરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 19:08:39

આદ્યશક્તિનાં આરાધનાના પર્વ નવરાત્રીનો આગામી તા. 26 સપ્ટેમ્બરથી પ્રારંભ થઇ રહ્યો છે. કોરોનાકાળમાં બે વર્ષ સુધી નવરાત્રીની ઉજવણી બંધ રહી હોવાથી ખેલૈયાઓ નિરાશ હતા. જો કે આ વર્ષે રોગચાળા કે અન્ય કોઈ પ્રકારની  ચિંતા ન હોવાથી રાસ-ગરબાના શોખિન ખૈલૈયાઓ નવરાત્રીમાં મનમૂકીને રમવા માંગે છે. રાજ્ય સરકાર પણ ખેલૈયાઓની મરજી જાણતી હોય તેમ  નવરાત્રીમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી છે.


હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી જાણકારી


નવરાત્રીના 9 દિવસ માટે લાઉડ સ્પીકર વગાડવાની છૂટછાટ આપવામાં આવી છે. નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ અને આસ્થા સાથે 9 દિવસ સુધી રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. નવરાત્રીની આતુરતાથી રાહ જોઈ રહેલા અને તેની ધામધૂમથી ઉજવણી કરવા ઉત્સુક ખેલૈયાઓ માટે આં ખુશીના સમાચાર છે. ગુજરાત સરકારે દર નવરાત્રીની જેમ આ વખતે પણ  લાઉડ સ્પીકર માટે  રાત્રે 12 વાગ્યા સુધીની પરમીશન આપતા હવે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.


રાજકોટ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાથી અસમંજસ


અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈકાલે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર મુજબ રાજકોટ શહેરમાં નવરાત્રી દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પિકર ચાલુ રાખી શકાશે. રાજકોટ પોલીસ કમિશનરના આ પરિપત્રથી રાજકોટમાં ખેલૈયાઓ અને આયોજકોમાં નારાજગી ઉભી થઇ હતી જે બાદ રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર પર ગરબે રમી શકાશે. ત્યારે આજે હવે રાજ્યના ગૃહમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, નવરાત્રિમાં હવે રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.