નવજોત સિંહ સિદ્ધુની તબિયત લથડી, બ્લડ પ્રેસર ઘટી જતા હોસ્પિટલમાં દાખલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 10:13:05

પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ હાલ પંજાબની પટિયાલા જેલમાં બંધ છે. રવિવારે બપોરના સમયે સિદ્ધુનું બ્લડ પ્રેસર ખુબ ડાઉન થઈ જતા તે બેભાન થઈ નીચે પડી ગયા હતા. તબિયત બગડતા તેમને જેલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ત્યાં પણ તબિયતમાં સુધારો ન થતા વધુ સારવાર માટે તેમને રાજિંદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેલ બેરેકની બહાર ઉભેલા ગાર્ડે તેમણે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. 


જીવનું જોખમ હોવાની કોર્ટમાં આશંકા વ્યક્ત કરી હતી


લુધિયાણામાં હાજર થવાને લઈને નવજોતસિંહ સિદ્ધૂએ કોર્ટમાં એપ્લીકેશન દાખલ કરીને વીડિયો કોન્ફરન્સિંગથી ઉપસ્થિત થવાની માગ કરી છે. તેમણે પોતાની અરજીમાં કહ્યું કે સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડની ઘટનાઓ તેમજ કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓને લઈને તેમના જીવને પણ ખતરો છે. વિરોધીઓ તેમને નુકસાન પહોંચાડવા માટે કંઈ પણ કરી શકે છે, એવામાં તેમણે વીડિયો કોન્ફરન્સિંગથી કોર્ટમાં રજૂ કરવામાં આવે. જેલ સુપ્રિન્ટેન્ડન્ટે તેની પુષ્ટિ કરતા કહ્યું કે સિદ્ધૂ બેભાન થઈ ગયા હતા, તેમને સારવાર આપવામાં આવી હતી. હાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમને હાજર કરવા અંગે જેલને કોઈ નિર્દેશ મળ્યા નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.