મા નવદુર્ગાની આરાધનના પર્વ નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢ, અંબાજી, બહુચરાજી અને ચોટીલામાં ઉમટ્યું શ્રધ્ધાળુંઓનું ઘોડાપૂર


  • Published By :
  • Published Date : 2023-10-15 11:15:33

મા નવદુર્ગાની આરાધનના પર્વ નવરાત્રીના તહેવારનો આજથી એટલે કે તા.15થી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ માતાજીને અવનવા શણગાર અને મંદિરોને રોશનીથી સજાવવામાં આવ્યા છે. નવરાત્રી નિમિત્તે રાજ્યના વિવિધ શક્તિ ઉપાસનાના કેન્દ્ર એવા વિવિધ તીર્થ સ્થાનોને સુંદર રીતે સજાવવામાં આવી રહ્યા છે. આ દિવસે મા આધ્યશક્તિની પૂજા અને દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અંબાજી,  પાવાગઢ, બહુચરાજી અને સૌરાષ્ટ્રના રાજકોટમા આશાપુરા, મધ્યગીરમાં કનકાઈ, ખોડલધામ, ચોટીલા ચામુંડા માતાજી, વાંકાનેર પાસે માટેલ ધામ, દ્વારકા-પોરબંદર વચ્ચે હર્ષદ માતાજી, દ્વારકામાં ભદ્રકાલી માતાજી, ગોંડલ ભુવનેશ્વર માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.  


પાવાગઢમાં મહાકાળીના દર્શન માટે ઉમટ્યો માનવ મહેરામણ


નવરાત્રીમાં રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાંથી મહાકાળીના યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આશો નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે અંદાજીત 2 લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢના માંચીથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. મંદિર પરિસર સહિત પગથીયાં સુધી જાણે હૈયેથી હૈયું દળાતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ માતાજીના દર્શન માટે લાંબી કતારો પણ જોવા મળી રહી છે. દૂર દૂરથી આવેલા ભક્તો પણ મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. નવરાત્રી દરમિયાન વહેલી સવારથી માતાજીના મંદિરના દ્વાર ખોલી મોડી રાત્રી સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવરાત્રીના પ્રથમ દિવસથી જ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4.00 કલાકે મંદિરના કપાટ દર્શન માટે ખુલશે તો બાકીના દિવસો માં સવારે 5.00 કલાકે દર્શન માટે મંદિરના કપાટ ખોલવામાં આવનાર છે. તમામ દિવસોએ રાત્રે 9.00 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. 


અમદાવાદના ભદ્રકાળી મંદિરે વહેલી સવારથી જ કતારો


નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. અમદાવાદના ભદ્રકાળી માતાજીના મંદિરે ભક્તોની લાંબી કતરા લાગી છે. વહેલી સવારથી જ ભક્તોની લાગી લાંબી કતાર લાગી છે. મહાકાળીના નાદ સાથે મંદિર પરિસર ગુંજી રહ્યું છે. ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!