નેશનલ હેરાલ્ડ કેસમાં EDની મોટી કાર્યવાહી, યંગ ઈન્ડિયાની 751 કરોડની સંપત્તિ જપ્ત, સોનિયા-રાહુલનો 76% હિસ્સો


  • Published By :
  • Published Date : 2023-11-21 19:50:15

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની કરોડો રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવાનો આદેશ જારી કર્યો છે. ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત રૂ. 751.9 કરોડની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. મની લોન્ડરિંગ સાથે સંબંધીત કેસમાં કોંગ્રેસ સાથે જોડાયેલા યંગ ઈન્ડિયા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કંપનીમાં સોનિયા-રાહુલની 76% ભાગીદારી છે.


યંગ ઈન્ડિયાની ઓફિસ સીલ કરી હતી


આ કેસમાં EDએ 3 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હીના હેરાલ્ડ બિલ્ડિંગમાં આવેલી યંગ ઈન્ડિયા કંપનીની ઓફિસને સીલ કરી દીધી હતી. 2 અને 3 ઓગસ્ટના રોજ EDની ટીમે દિલ્હી, મુંબઈ અને કોલકાતા સહિત નેશનલ હેરાલ્ડના 16 સ્થળોએ સવારથી મોડી સાંજ સુધી દરોડા પાડ્યા હતા. સોનિયા અને રાહુલની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.


સોનિયા અને રાહુલ ગાંધીની કરી હતી પૂછપરછ 


ઉલ્લેખનિય છે કે એજન્સી આ મામલે સોનિયા અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી ચૂકી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કહ્યું કે જપ્ત કરાયેલી સંપત્તિઓમાં એજીએલની દિલ્હી, મુંબઈ અને લખનૌ સહિત ઘણી જગ્યાએ મિલકતો છે. તેની કુલ કિંમત 661.69 કરોડ રૂપિયા છે. EDએ કહ્યું કે યંગ ઈન્ડિયાની પ્રોપર્ટીની કિંમત 90.21 કરોડ રૂપિયા છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.