'મુઘલો ક્રૂર હતા તો તેમનો તાજ મહેલ અને લાલ કિલ્લો પણ તોડી પાડો': નસીરૂદ્દીન શાહ


  • Published By :
  • Published Date : 2023-02-24 18:41:38

બોલિવુડના દિગ્ગજ કલાકાર નસીરૂદ્દીન શાહ તેમના વિચારો નિર્ભિક રીતે રજુ કરવા માટે જાણીતા છે. મુઘલો અંગે આપેલા તેમના એક નિવેદને દેશમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. શાહે કહ્યું કે મુઘલોનું અપમાન ન કરવું જોઈએ.



મુઘલો અંગે કરી આ વાત


નસિરૂદ્દીન શાહને જ્યારે પુછવામાં આવ્યું  કે આજે જ્યારે એ માનવામાં આવી રહ્યું છે કે દેશની સાથે જે પણ ખરાબ થયું તે મુઘલોના સમયમાં જ થયું છે આ અંગે તમે શું કહેશો? આ સવાલનો જવાબ આપતા શાહે કહ્યું કે "તેમને આશ્ચર્ય થાય છે કારણ કે આ બાબત જ હાસ્યાસ્પદ છે. મારો કહેવાનો મતલબ છે, કે લોકો અકબર અને નાદિર શાહ કે બાબરના પરદાદા તૈમૂર જેવા આક્રમકો વચ્ચેનું અંતર જ સમજી શકતા નથી." આક્રમકો લૂંટના ઈરાદે આવ્યા હતા, મુઘલો અહીં લૂંટ કરવા નહીં પણ પોતાનું ઘર બનાવવા માટે આવ્યા હતા અને તેમણે તેવું જ કર્યું તેમના યોગદાનને કોણ નકારી શકશે? 


શાહે વધુમાં કહ્યું કે એવું માની લેવું કે "મુઘલોમાં માત્ર ખરાબીઓ જ હતી તે બાબત દેશના ઈતિહાસ અંગેનું અજ્ઞાન દર્શાવે છે. તેવું બની શકે કે ઈતિહાસના પુસ્તકોમાં ભારતની સ્વદેશી સંસ્કૃતિની કિંમતે મુઘલોનું મહિમામંડન કરાયું હોય. પરંતું તેમના શાસનકાળને માત્ર વિનાશકારી સ્વરૂપે જ દર્શાવવો તે યોગ્ય નથી."


લાલ કિલ્લો અને તાજ મહેલ તોડી પાડો


નસિરૂદ્દીન શાહે કહ્યું કે તેમનું સામ્રાજ્ય જો આટલું જ ખરાબ હતું તો તેમના વિરોધ કરનારા લોકો મુઘલો દ્વારા બનાવવામાં આવેલા સ્મારકો ધ્વસ્ત કેમ નથી કરતા?, તાજ મહેલને તોડી પાડો, લાલ કિલ્લાને આપણે પવિત્ર કેમ માનીએ છિએ, જો કે તે પણ મોગલોએ બનાવ્યો  હતો, તેને પણ તોડી પાડવો જોઈએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.