2002ના નરોડા ગામ હત્યાકાંડ કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત તમામ 69 આરોપી નિર્દોષ જાહેર


  • Published By :
  • Published Date : 2023-04-20 18:27:59

વર્ષ 2002 ના અમદાવાદના નરોડા ગામ હત્યાકાંડ મામલે આજે સ્પેશિયલ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આજે નરોડા ગામ હત્યાકાંડ કેસનો 21 વર્ષે ચુકાદો આપતા કોર્ટે 69 આરોપી નિર્દોષ જાહેર કર્યો છે. આ  સાથે જ ભાજપના તત્કાલીન ધારાસભ્ય માયા કોડનાની, બાબુ પટેલ ( બાબુ બજરંગી) અને જયદીપ પટેલ સહિતના તમામ આરોપીઓને નિર્દોષ છુટકારો થયો છે.  


86 આરોપીઓની ધરપકડ થઈ હતી


28 ફેબ્રુઆરી 2002ના રોજ એટલે કે ગોધરાકાંડ બાદના બીજા દિવસે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે દરમ્યાન અમદાવાદના નરોડા ગામ વિસ્તારમાં ફાટી નીકળેલા તોફાનોમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. સમગ્ર કેસમાં કુલ 86 આરોપીઓની ધરપકડ કરાઈ હતી.જેમાં ભાજપના તત્કાલીન ધારાસભ્ય માયા કોડનાની, બાબુ પટેલ ( બાબુ બજરંગી) અને જયદીપ પટેલ સહિતના લોકોની ધરપકડ કરાઈ હતી. સમગ્ર કેસની તપાસ SIT એ કરી હતી. આ કેસમાં બચાવ પક્ષ તરફથી 58 સાક્ષીઓ જ્યારે ફરિયાદ પક્ષ તરફથી 187 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. વિશેષ અદાલતના ન્યાયમૂર્તિ એસ.કે બક્ષી આ મહત્વનો ચુકાદો આપ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.