Narmada:કેવડિયામાં મ્યુઝિયમમાં કામ કરતા યુવકોને માર મારતા મોત, Chaitar Vasava અને Mansukh Vasavaએ કહી આ વાત


  • Published By :
  • Published Date : 2024-08-08 17:43:47

નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની નજીક ગરુડેશ્વર ખાતે બનતું આદિવાસી મ્યુઝિયમ વિશ્વ આદિવાસી દિવસના એદ દિવસ પહેલાં  વિવાદમાં આવ્યું છે. મ્યુઝિયમમાં કામ કરતાં 6 શખ્સોએ મોડી રાત્રે બે યુવાનોને એટલા માર્યા કે તેમના મૃત્યુ થઈ ગયા છે. આખી વાત એમ છે કે ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ગામે નીચલા ફળિયામાં રહેતો જયેશ તડવી અને ગભાણા ગામે નીચલા ફળિયામાં રહેતા સંજય તડવી બંને ગઇરાત્રે આદિવાસી મ્યુઝિયમમાં ગયા હતાં. આ વખતે બંને ચોરી કરવા માટે આવ્યા છે તેવી શંકા રાખી મ્યુઝિયમમાં કામ કરતાં કર્મચારીઓએ બંનેને પકડી લઈ હાથ બાંધી દીધા અને ઢોરની જેમ માર્યા.

શું હતી સમગ્ર ઘટના?

આ ઘટના બાદ બંનેને સારવાર માટે ગરૂડેશ્વરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સારવાર દરમિયાન જયેશ તડવીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગરૂડેશ્વર પોલીસ તેમજ નાંદોદ અને ડેડિયાપાડાના ધારાસભ્યો પણ હોસ્પિટલ દોડી ગયા અને ત્યાં ચૈતર વસાવા સહિત એમના સમર્થકોએ હોબાળો કર્યો. હકીકતમાં જે બીજો છોકરો હતો સંજય તડવીએ પોલીસ સાથે વાત કરતાં કહ્યું કે  હું અને મારો મૃત મિત્ર જયેશ બંને મ્યુઝિયમની ખુલ્લી જગ્યામાં લોખંડના સળિયા પડયા  હતાં તેના ટુકડા ભંગારમાં વેચીને પૈસા મળશે તેવી લાલચમાં ચોરી કરવાનું વિચારીને ત્યાં ગયા હતા. ત્યારે હુમલાખોરોએ અમને ઝડપી પાડી જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી હુમલો કર્યો હતો. 

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરી ટ્વિટ

હવે સવાલ એ થાય છે કે એ યુવાનો ચોરી કરવા ગયા એ ખોટી વાત છે પણ સામે વાળા વ્યક્તિને આ અધિકાર કોણે આપ્યો કે એ લોકોને આ રીતે મારે કે એ મરી જાય? આ મુદ્દે ભરૂચના સાંસદે પણ ટ્વીટ કરીને કાર્યવાહી કરવાની વાત કરી છે. ઘટનામાં બુધવારે મૃત્યુ પામનાર જયેશભાઈ શનાભાઈ તડવીને કંપની તરફથી 20 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવ્યું છે. જ્યારે આજે મૃત્યુ પામનાર સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને પહેલાં 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. બાકીના 15 લાખ રૂપિયા ચુકવવાની કાર્યવાહી ચાલુ જ છે. 



આ મુદ્દે રાજનીતિ થાય છે કે પછી...

ચૈતર વસાવા અને તેમના સાગરિતો આ ઘટનાને રાજકીય મુદ્દો બનાવે છે, તે ખરેખર ન બનાવવો જોઈએ. આ એક સંવેદનાનો વિષય છે. તેમાં બધાએ સાથે મળીને ભોગ બનનારા વ્યક્તિઓની મદદ માટે આગળ આવવું જોઈએ. અમે લોકો આ ઘટનાને લઈને ખુબ જ દુઃખી છીએ. મૃતકોના પરિવારને ન્યાય મળે તે માટેની કાર્યવાહી પણ ચાલુ જ છે. મૃતકોના આત્મા ને શાંતિ મળે એના માટે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ. તો હવે ખરેખર આ ઘટનામાં કાર્યવાહી થાય છે કે પછી રાજનીતિ એ જોવાનું રહ્યું..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે