માંગરોળમાં કરાઈ નર્મદા જયંતીની ઉજવણી, નર્મદા મૈયાને 1100 ફૂટની સાડી અર્પણ કરાઈ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-17 12:50:59

હિંદુ ધર્મમાં જેટલું મહત્વ દેવી દેવતાઓને આપવામાં આવે છે તેટલું જ મહત્વ પ્રકૃતિને પણ આપવામાં આવે છે. આપણે ત્યાં પ્રકૃતિનું જતન કરવામાં આવે છે. એ પછી પર્વતનું પૂજન હોય કે પછી નદીની પરિક્રમા હોય.... શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે ગંગામાં સ્નાન કરવાથી, નર્મદાના દર્શન કરવા માત્રથી જ્યારે તાપિનું સ્મરણ માત્રથી પાપમાંથી મુક્તિ મળે છે..! નર્મદા નદીને ગુજરાતની જીવા દોરી સમાન માનવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા નદી વહે છે તેથી જ આપણા ઘરોમાં પાણી આવે છે.! નદીને આપણે માતા સમાન દરજ્જો આપીએ છીએ।.

નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી કરાઈ અર્પણ 

નર્મદા જયંતી મહા સુદ સાતમે આવે છે. ગઈકાલે નર્મદા જયંતી નિમીત્તે અનેક ભક્તો નર્મદા નદીની પૂજા કરતા હોય છે તો કોઈ નદીમાં આસ્થાની ડુબકી લગાવે છે. નદીમાં ફુલ, કંકુ, હળદર જેવી સામગ્રી અર્પણ કરવામાં આવે છે. મધ્યપ્રદેશના અમરકંટકને નર્મદાનું ઉદગમ સ્થાન માનવામાં આવે છે. ત્યારે ગઈકાલે નર્મદા જયંતી નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવી હતી. માંગરોળમાં શ્રદ્ધાળુઓએ નર્મદા મૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી. નર્મદા નદીને સાડી અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા. 

image



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.