નર્મદા ડેમ પોતાની મહત્તમ જળસપાટીએ પહોંચતા સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યા નીરના વધામણા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 10:38:05

રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે નર્મદા ડેમની જળસપાટી પ્રથમવખત પોતાની મહત્તમ જળ સપાટી 138.68 પર પહોંચી છે. સરદાર સરોવર ડેમ પોતાની મહત્તમ સપાટીએ પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડીયા જઈ જળના વધામણ કર્યા હતા. ગોરવપૂર્ણ ઘટનામાં સહભાગી બની તેમણે જીવાદોરી મનાતી નર્મદા નદીની વિધિવત પૂજા કરી હતી.


મુખ્યમંત્રીએ કરી માં નર્મદાની પૂજા

ડેમ મહત્તમ જળસપાટીએ પહોંચતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમના 23 દરવાજા ખોલાતા નર્મદા નદીમાં 1,50,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. નવા નીરનું સ્વાગત કરવા બ્રાહ્મણો સાથે મુખ્યમંત્રી નર્મદા ડેમ ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ શ્રીફળ, ચુંદડી, પુષ્પો ચઠાવી માં નર્મદાની આરતી કરી નવા નીરને આવકાર્યા હતા. ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી છે. જેને કારણે નર્મદા ડેમ ઉપરાંત અનેક ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે.   



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.