નર્મદા ડેમ છલોછલ, 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલાયા, CMએ કર્યાં નીરના વધામણા, 18 લાખ ક્યૂસેક પાણી છોડાતા જળબંબાકાર


  • Published By :
  • Published Date : 2023-09-17 13:46:35

ગુજરાતની  જીવાદોરી સમાન નર્મદા ડેમના લોકાર્પણને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. તે ઉપરાંત નર્મદા ડેમમાં નવા નીરના કારણે તેની જળસપાટીમાં પણ સતત વધારો થયો છે,. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર 138 મીટરને પાર થઈને પ્રથમવાર 138.68 મીટરે નોંધાઈ છે. જે  મહત્તમ સપાટીએ પહોંચી જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ પહોંચ્યા હતા અને  વિધિવત રીતે નર્મદા મૈયાનું પૂજા- અર્ચના કરી હતી. ઉલ્લેખનિય છે કે આ ચોમાસુ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડેમ પર ગેટ મુકાયા બાદ 6 વખત સંપૂર્ણ ભરાયો છે. હાલ નર્મદા ડેમમાં 19,26,106 ક્યુસેક પાણીનીઆવક છે, જ્યારે કુલ 18,41,283 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે.  જેને કારણે સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ભરાયો છે. હાલ ડેમના 23 ગેટ 9.70 મીટર સુધી ખોલાયા છે. ડેમમાંથી પાણી છોડાતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. 


CM ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના કર્યા વધામણા


ઉલ્લેખનિય છે કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ દિવસ છે. તે નિમિત્તેર આજે 17 સપ્ટેમ્બરના રોજ આ નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું. જેના કારણે પણ  ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. જેને કારણે નર્મદા ડેમને નવવધૂની જેમ સજાવાયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા ડેમ પહોંચ્યા હતા અને પૂજા વિઘિ બાદ ડેમની જળસપાટી વધતા તેની અસર નીચે આવતા ગામની સમીક્ષા કરી હતી. 


ડેમમાંથી 18 લાખ ક્યૂસેક પાણી છોડાતા જળબંબાકાર


સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યૂસેક પાણી છોડાતાં નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દાહોદ અને વડોદરાના કરનાલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અલર્ટ કરાયા છે. પાણીની આવક વધતા કરજણના પુરા ગામના તમામ લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરાયા. તેમજ આલમપુરા, લીલીપુરા, દિવાબેટ જેવા ગામોના લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરાયા છે. કરજણ ના નર્મદા કાંઠા વિસ્તારના એલર્ટ કરાયેલા ગામો પૈકી કેટલાક ગામોમાંથી 500 થી વધુ લોકોના સ્થળાંતર કરાયા છે. કરજણ SDM આશિષ મિયાત્રા સહિત તંત્ર, કરજણ પી.આઈ.ભરવાડ સહિત ની પોલીસ ટીમ સ્થળાંતર કરાવવાના કામે લાગી છે. નર્મદા ડેમમાં પાણી છોડવાને પગલે કરજણ તાલુકાના નાની સાયર ગામે પાણી ભરાતા બે ત્રણ પરિવાર ફસાયા હોવાની માહિતી મળતા NDRFની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને પાંચ પુરુષ, 10 બાળક બાળક તથા એક મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરાના નીચાણવાળા 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અહીં ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે. એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં જે સરોવર બનાવવામાં આવ્યું છે, ત્યાં પાણી ફરી વળ્યાં છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પણ પાણી ફરી વળ્યાં છે. વડોદરા જિલ્લાના મોટાભાગ કર્મચારીઓ અધિકારીઓ સેન્ટડ બાય કરાયા છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!