ખોડલધામના આ બે ટ્રસ્ટીઓને ભાજપની ટિકિટ મળે તે માટે નરેશ પટેલના પ્રયત્નો શરૂ


  • Published By :
  • Published Date : 2022-11-07 19:05:39

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષોની  ટિકિટ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. સમાજના અગ્રણીઓ, મોટા ઉદ્યોગપતિઓ અને ધર્મગુરૂઓ પણ તેમના મળતિયાઓને ટિકિટ મળે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખોડલધામના ચેરમેન નરેશ પટેલએ તેમના બે વિશ્વાસુ માણસો માટે ભાજપમાં  ટિકિટ માટે લોબિંગ શરૂ કર્યું છે.    


નરેશ પટેલ કોના માટે મહેનત કરી રહ્યા છે?


ખોડલધામના ચેરમેન નરેશ પટેલ તેમના બે સાથીઓને ભાજપની ટિકિટ માટે અંગત રીતે રસ લઈ રહ્યા છે.  ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણી માટે પ્રયત્નો કરી રહ્યા છે. હાલ રાજકોટ દક્ષિણ અને અમદાવાદની એક બેઠક હાઇ પ્રોફાઇલ બની છે.


નરેશ પટેલે દિલ્લીમાં પીએમ મોદી સાથે કરી હતી મુલાકાત


ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ટ્રસ્ટી રમેશ ટીલાળા, રમેશ મેંદપરા, દિનેશ કુંભાણી, પ્રવીણભાઈ પટેલ દિલ્હીમાં PM મોદીને મળીને વિધિવત ખોડલધામ આવવાનું આમંત્રણ આપ્યું હતું. મોદીના આમંત્રણમાં સૌથી વધુ રસ ટીલાળાને છે. વળી તાજેતરમાં અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બંને નેતાઓએ મુલાકાત કરી હતી. જેને લઇને રાજકારણ ગરમાયું છે.  જ્યારે વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્થાનિકને ટીકિટ આપવાનો આગ્રહ કરી રહ્યા છે.


રમેશ ટીલાળા ધારાસભ્ય બનવા તલપાપડ 


ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, ટીલાળા રાજકોટ પૂર્વ સીટ પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા માગે છે. આ સીટ પર હાલના ધારાસભ્ય તરીકે વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી છે. માત્ર 10 પાસ ટીલાળા આજે અનેક દેશોમાં બિઝનેસ કરે છે. ટીલાળા ખોડલધામના ટ્રસ્ટી હોવાની સાથે ઉદ્યોગપતિ છે. પહેલાં ગોંડલ બેઠક પર ચાલતું નામ રાજકોટ પૂર્વ બેઠક પર આવ્યું હવે ગોવિંદ પટેલની રાજકોટ દક્ષિણ સીટ પર ટીલાળાએ દાવેદારી નોંધાવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.