નરેશ પટેલે PMને ખોડલધામ આવવાનું આપ્યું આમંત્રણ, PMએ આમંત્રણનો સ્વીકાર કર્યો


  • Published By :
  • Published Date : 2022-10-23 13:25:01

ગુજરાતમાં ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ગુજરાતની રાજનીતિમાં પટેલ ફેક્ટરને ઘણું મહત્વનું માનવામાં આવે છે. ભાજપે ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ત્યારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ખોડલધામના ટ્રસ્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં પીએમને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.  

શું પીએમ મોદી 31મીએ ખોડલધામ આવશે? દિલ્હીમાં નરેશ પટેલ અને બે ટ્રસ્ટીઓએ PM સાથે કરી મુલાકાત

અટકળો પર મૂકાયું પૂર્ણવિરામ 

ચૂંટણીના માહોલ વચ્ચે એકાએક પીએમ અને નરેશ પટેલ વચ્ચે બેઠક થવાને કારણે અનેક અટકળોએ વેગ પકડ્યો હતો. એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ગુજરાતના રાજકારણમાં નવાજૂની થઈ શકે છે. અટકળો પર પૂર્ણ વિરામ આવી જાય તે માટે ખોડલધામના ટ્રસ્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે આ બેઠકમાં વડાપ્રધાન મોદીને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ખોડલધામમાં ધ્વજા ચઢાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જેનો તેમણે સ્વીકાર કર્યો છે. 

Photo Gallery | Prime Minister of India

વડાપ્રધાન મોદીએ આમંત્રણનો સ્વીકાર કર્યો 

ગુજરાતની રાજનીતિ અને ખોડલધામનો વિશેષ નાતો છે. વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અનેક વખત તેઓ ખોડલધામની મુલાકાતે આવતા હતા. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા લેઉવા પાટીદાર નેતાઓની વડાપ્રધાન સાથે મુલાકાત થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ બેઠકમાં નરેશ પટેલની સાથે ખોડલધામના ટ્રસ્ટીઓ તેમજ મનસુખ માંડવીયા પણ હાજર રહ્યા હતા. ત્યારે ખોડલધામના ટ્રસ્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે વડાપ્રધાન મોદીની સાથે કેમ બેઠક કરી હતી તે જણાવ્યું છે.તેમણે કહ્યું કે આ બેઠકમાં વડાપ્રધાન મોદીને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે. વડાપ્રધાનની ઓફિસમાંથી તારીખ આપવામાં આવશે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.