આવતી કાલે PM તરીકે Narendra Modi ત્રીજી વખત લેશે શપથ, શેખ હસીના આવ્યા ભારત, જાણો કયા વિદેશી નેતાઓને અપાયું આમંત્રણ?


  • Published By :
  • Published Date : 2024-06-08 16:58:30

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર પીએમ પદના શપથ 9મી તારીખે એટલે કે આવતી કાલે લેવાના છે. પરિણામો આવ્યા બાદ વિદેશના અનેક નેતાઓએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીના શપથ સમારોહમાં સામેલ થવા માટે ભારતના અનેક પાડોશી દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અનેક વડાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે અને શપથ સમારોહમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ભારત આવી પહોંચ્યા છે.  

મુરલી મનોહર જોશી, એલ.કે. અડવાણી સહિતના નેતાઓ સાથે કરી હતી મુલાકાત 

મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા. આ વખતે એનડીએની સરકાર બનવાની છે. ગઈકાલે એનડીએની સંસદીય દળની બેઠક મળી હતી અને નેતા તરીકે પ્રધાનમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી. આવતી કાલે એટલે કે 9 તારીખે પીએમ મોદી ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેશે.. ગઈકાલે પીએમ મોદી એલ.કે.અડવાની, મુરલી મનોહર જોશી, રાષ્ટ્રપતિ સહિતના અનેક દિગ્ગજ નેતાઓને મળ્યા હતા. આ શપથવિધિમાં ભારતના પાડોશી દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 



શપથ વિધીના સમારોહમાં ભાગ લેવા શેખ હસીના આવ્યા ભારત 

પીએમ મોદીના શપથ સમારોહમાં અનેક રાષ્ટ્રના વડાઓ ભારતના મહેમાન બની શકે છે.  નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં " neighbour હુડ ફર્સ્ટ પોલિસી " અંતર્ગત જે હિન્દ મહાસાગરના દેશો છે તેમની સાથે સહયોગ વધારવાના હેતુથી આ મહેમાનોની યાદી તૈયાર કરવામાં આવી છે.  શેખ હસીના ભારત આવી પહોંચ્યા છે. તે સિવાય નેપાળના પીએમ પુશ્પ કમાલ દહલ, ભૂતાનના રાજા નામગ્યેલ વાન્ગચૂક , શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે , ઉપરાંત માલદિવ્સના વડા મોહમ્મદ મુઇઝઝયુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 


વિવિધ દેશના વડાઓને આપવામાં આવ્યું છે આમંત્રણ

હાલમાં maldives  સાથેના આપણા સબંધો થોડાક તણાવભર્યા હતા પણ આ આમંત્રણથી સબંધોમાં મીઠાશ વધી શકે છે. વાત કરીએ શ્રીલંકન રાષ્ટ્ર પ્રમુખ રાનિલ વિક્રમસિંઘની તો ૪ જૂનના રોજ તેમને PM મોદી સાથે ફોન પર વાત થઈ હતી , ત્યારે તેમને આ શપથ વિધિમાં હાજર રહેવા આમંત્રણ પાઠવી દેવામાં આવ્યું હતું . ઉપરાંત બાંગલાદેશના PM શેખ હસીના સાથે પણ ફોન પર વાત થઈ હતી. મહત્વનું છે આવતી કાલે ના માત્ર પીએમ તરીકે નરેન્દ્ર મોદી શપથ લેશે પરંતુ તેમની સાથે મંત્રીમંડળ પણ શપથ લેશે. આ મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે સસ્પેન્સ છે.. અનેક નામોની ચર્ચાઓ થઈ રહી છે જેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.  


શું ઈન્ડિ ગઠબંધનના નેતાઓ રહેશે શપથ સમારોહમાં હાજર?

જ્યારે ઈન્ડિ ગઠબંધનના નેતાઓ આ શપથ સમારોહમાં હાજર રહેશે કે નહીં તે સવાલ જયરામ રમેશને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે માત્ર આંતરરાષ્ટ્રીય નેતાઓને શપથ ગ્રહણ સમારોહમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. એમારા નેતાઓને આમંત્રણ આપવામાં નથી આવ્યું. જ્યારે અમારા નેતાઓને આમંત્રણ આપવામાં આવશે તે બાદ વિચારણા કરવામાં આવશે.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે