સૌથી મોટા ભુવા નરેન્દ્ર મોદી, એકબાદ એક નાળિયેર ફેંકે છેઃ BJP પ્રદેશ પ્રમુખ પાટીલ


  • Published By :
  • Published Date : 2022-10-28 14:54:34

ચૂંટણી નજીક આવતા જ અવનવા નિવેદનો અને વિવાદિત નિવેદનોનો રાફડો જોવા મળે છે તેવું જ એક અલગ પ્રકારનું નિવેદન ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલે આપ્યું છે તેમણે હસતાં-હસતાં નરેન્દ્ર મોદીને ભુવા કહ્યા છે. સીઆર પાટીલે સ્ટેજ પરથી નિવેદન આપ્યું હતું કે નરેન્દ્ર મોદી એક બાદ એક નાળિયેર ફેંકે છે.


ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલનમાં સીઆર પાટીલે મોદીને ભુવા કહ્યા 

આજે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સેસા ગામે ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. કાકોસી ચાર રસ્તાથી સીઆર પાટીલનો રોડ શો પણ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં જીભાજી ઠાકોર અને તેમના સમર્થકો સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જીભાજી ઠાકોર પાટણ જિલ્લા ક્ષત્રીય ઠાકોર સેનાના પ્રમુખ છે. 


સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલ પર કર્યા પ્રહારો 

ક્ષત્રિય ઠાકોર સ્નેહમિલન કાર્યક્રમમાં સીઆર પાટીલે સ્ટેજ પરથી સંબોધન કર્યું હતું. સીઆર પાટીલે ચૂંટણી પહેલા સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી મોટા ભુવા છે. કે નરેન્દ્ર મોદી એક બાદ એક નાળિયેર ફેંકે છે. સીઆર પાટીલે અરવિંદ કેજરીવાલનો પણ ઉધડો લીધો હતો. અરવિંદ કેજરીવાલે અપીલ કરી હતી કે નોટ પર લક્ષ્મીજી અને ગણેશજીનો ફોટો હોવો જોઈએ. તેના પર સીઆર પાટીલે નિવેદન આપ્યું હતું કે કેજરીવાલે પંજાબના કાર્યાયલમાંથી ગાંધીજીનો ફોટો હટાવી દીધો છે. ત્યારે હાલ કેજરીવાલ નોટો પરથી પણ ગાંધીજીનો ફોટો હટાવી દે, તેનાથી બચીને રહેવું જોઈએ. 






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.