સુરતમાં તૈયાર કરાઈ PM મોદીની 156 ગ્રામ સોનાની મૂર્તિ, શા માટે બનાવાઈ આ મૂર્તિ?


  • Published By :
  • Published Date : 2023-01-19 12:27:51

ડાયમંડ સીટી તરીકે વિશ્વ પ્રખ્યાત સુરતમાં પીએમ મોદીની સોનાની અતિભવ્ય સોનાની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.  ગુજરાતમાં 156 સીટ જીત બદલ આ 156 ગ્રામ સોનાની મૂર્તિ બનાવવામાં આવી છે. મૂર્તિને બનાવવામાં 7 મહિના લાગ્યા છે. 15 થી 20 કારીગરોએ આ મૂર્તિ બનાવવા મહેનત કરી છે. આ મૂર્તિની અંદાજીત કિંમત રૂપિયા 11 લાખ છે. રાધિકા ચેન્સ કંપનીમાં મૂર્તિ બનાવવામાં આવી છે.


ગુજરાતમાં જીત ચશ PM મોદીને


આ ગોલ્ડન મોદીની મૂર્તિ તૈયાર કરનારા જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે "ગુજરાતમાં જે 156 સીટો આવી છે, તે એક ક્યારેય ઇતિહાસમાં જોવા મળી નથી અને કદાચ ભવિષ્યમાં પણ જોવા મળશે નહીં. જ્યારે PM મોદીએ 156 સીટો જીતી ત્યારે જ અમે વિચારી લીધું હતું અને અમારી ટીમને કહી દીધું હતું કે, તેમની એક ગોલ્ડમાં પ્રતિકૃતિ બનાવવામાં આવશે." જ્વેલર્સ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત માટે પીએમ મોદીને યશ આપી રહ્યા છે, તે માટે જ આ સુંદર મૂર્તિ બનાવી છે.


મૂર્તિની વિશેષતા શું છે? 


આ મૂર્તિ 18 કેરેટ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવી છે. આ મૂર્તિ હુંબહુ જોવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી લાગે છે. તેમના ચશ્મા, ચેહરા અને આંખો જોઈને તમે લાગશે કે, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હુંબહુ પ્રતિકૃતિ છે. જેની અંદાજીત 11 લાખની કિંમત છે. રાધિકા ચેન્સ કંપનીમાં મૂર્તિ બનાવવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.