ટિકિટ વિશે નરેન્દ્ર ભાઈ અને અમિતભાઈ નિર્ણય લેશેઃ સીઆર પાટીલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-04 10:10:44

ભાવનગરના વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિત 20 હજાર જેટલા કાર્યકર્તાઓ જોડાયા હતા. ભાવનગરમાં સીઆર પાટીલે મહત્વની જાહેરાત કરી હતી કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જાહેર કરશે. જાહેર છે કે આમ આદમી પાર્ટીના વિધાનસભાના ચહેરાના નામ જાહેર થઈ ગયા છે જ્યારે કોંગ્રેસ ઘરે-ઘરે જઈ મતદારોને મનાવી રહી છે. કોંગ્રેસ પણ ટૂંક સયમાં પોતાના ચહેરા સામે રાખી શકે છે. 


સીઆર પાટીલે ટિકિટ મામલે શું નિવેદન આપ્યું?

ભાજપના પ્રદેશ પ્રમુખે ભલે રેલીમાં આ નિવેદન આપ્યું પરંતુ તેનો ઈશારો ભાજપના મહત્વકાંક્ષી નેતાને હતો. સીઆર પાટીલે મંચ પર ભાષણ આપતા જણાવ્યું હતું કે, "ચૂંટણી અગાઉ વિધાનસભાની બેઠકો માટે કયા નેતાને ટિકિટ મળશે તે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ નક્કી કરશે. કોઈ પણ કાર્યકર્તાઓની લાગણી ના દુભાય અને મતભેદ ના થાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ તમામ કાર્યકર્તાને સારી રીતે ઓળખે છે. છતાં પણ કોઈની લાગણી દુભાતી હોય તો મને કહેજો હું ઉપર સુધી વાત પહોંચાડીશ."


ભારતીય જનતા પાર્ટીની ભાવનગરની વન ડે વન ડિસ્ટ્રીક્ટ રેલીમાં 20 હજાર જેટલા ભાજપના નેતા જોડાયા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સિવાય ભારતીબેન શિયાળ, જિતુ વાઘાણી, આરસી મકવાણા અને સામાજિક અને ન્યાય વિભાગના મંત્રી આત્મારામ પરમાર સહિતના અનેક નેતાઓ જોડાયા હતા. 


સીઆર પાટીલ કેજરીવાલ વિશે રેલીમાં શું બોલ્યા?

સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતનો હાથ હંમેશા મફતનું આપવા માટે લંબાવાયો છે, ગુજરાતે ક્યારેય મફતનું લેવા માટે હાથ નથી લંબાવ્યો. કેજરીવાલની 10 લાખની નોકરીની જાહેરાત હવામાં વાતો છે. ગુજરાત સરકારમાં કુલ સાડા પાંચ લાખ સરકારી કર્મચારી છે ને કેજરીવાલ 10 લાખની નોકરીની વાતો કરે છે. 


ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે રાજકીય પક્ષોની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાંચ જેટલા પક્ષો ચૂંટણી લડવા માટે નિકળશે. પરંતુ મુખ્ય રીતે જોઈએ તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામવાનો છે. કોંગ્રેસના રાહુલ ગાંધી પણ આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને કોંગ્રેસના વરિષ્ઠ નિરીક્ષક અશોક ગેહલોત પણ આજે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે 2 સપ્ટેમ્બરથી અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતની મુલાકાત લીધી હતી અને દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર અને સુરત જેવા સ્થળોની મુલાકાત લીધી હતી.     

 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.