નારાયણ મૂર્તિએ કરીના કપૂરને ઘમંડી ગણાવી, વર્ણવ્યો તેમનો અનુભવ, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-26 19:00:16

આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિનો એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મૂર્તિએ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પર ઘમંડી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ફ્લાઇટમાં એકસાથે મુસાફરી કરવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં મૂર્તિએ કહ્યું કે કરીનાએ ત્યાં હાજર તેના ચાહકોનું સન્માન કર્યું નહોતું. તેમણે IIT-કાનપુરના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા આ વાત કહી હતી. જોકે તેમની સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નારાયણ મૂર્તિના પત્ની સુધાએ તરત જ પતિની વાત કાપી નાખી હતી.


IIT કાનપુરમાં આપ્યું હતું નિવેદન


નારાયણ મૂર્તિ તેમની પત્ની સાથે મુખ્ય અતિથિ તરીકે IIT કાનપુરમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે, 'એક દિવસ હું લંડનથી આવી રહ્યો હતો અને કરીના કપૂર મારી બાજુની સીટ પર બેઠી હતી. ઘણા લોકો તેની પાસે આવ્યા અને હેલો કહ્યું. તેણે જવાબ આપવાની પણ તસ્દી લીધી નહીં. મને થોડું આશ્ચર્ય થયું. જે પણ મારી પાસે આવ્યો, હું ઊભો થયો અને અમે એક મિનિટ કે અડધી મિનિટ ચર્ચા કરી. ચાહકો આ પ્રકારની જ અપેક્ષા રાખતા હતા."


સુધા મૂર્તિએ મામલો શાંત પાડ્યો


નારાયણ મૂર્તિ આ વક્તવ્ય દરમિયાન સુધા મૂર્તિએ તેમને અટકાવ્યા અને કહ્યું, 'તેના લાખો ચાહકો છે. તે થાકી ગઈ હશે. સોફ્ટવેર કંપનીના માલિક તરીકે મૂર્તિના 10,000 ફોલોઅર્સ હશે પરંતુ એક ફિલ્મ એક્ટ્રેસના લાખો ફોલોઅર્સ હોય છે. પત્નીના આ નિવેદન પર ત્યાં હાજર વિદ્યાર્થીઓ હસી પડ્યા અને ખૂબ તાળીઓ પાડી હતી. આમ છતાં નારાયણ મૂર્તિએ પોતાની વાત આગળ વધારતા કહ્યું,  કે, ‘તે મુદ્દો નથી. મુદ્દો એ છે કે જયારે કોઈ તમારા પ્રત્‍યે પ્રેમ અથવા લાગણી દર્શાવે છે, ત્‍યારે ભલે અલગ રીતે પણ તમારે તેને પ્રેમ દર્શાવવો મહત્‍વપૂર્ણ છે. મને લાગે છે કે તે ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. આ તમારા અહંકારને ઘટાડવાના રસ્‍તાઓ છે, બસ આટલું જ'.


નેટીઝન્સે કરીનાની ઝાટકણી કાઢી


આ વાયરલ વીડિયો બાદ અનેક લોકો નારાયણના સમર્થનમાં બહાર આવ્યા છે. નેટીઝન્સ સોશિયલ મીડિયા પર વિવિધ   પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું, "એટલે જ કરીનાનું ગ્લેમર ગયા પછી કોઈને યાદ પણ નહીં હોય કે કરીના કોણ છે. બીજી તરફ, એ લોકો છે જે તમને આજથી સો વર્ષ પછી પણ યાદ કરશે" એક યુઝરે એમ પણ કહ્યું, "બસ આ સાબિત કરે છે કે શિક્ષણ અને ઉછેર અને કૌટુંબિક પૃષ્ઠભૂમિ મુખ્ય ભૂમિકા ભજવે છે."



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે